મોદીજી તમે પટેલોની પીઠમાં છરો ભોંક્યો, રમખાણો કરાવી CM પછી PM બન્યાઃ હાર્દિકને લેટર બોમ્બ
મોદીજી તમે પટેલોની પીઠમાં છરો ભોંક્યો, રમખાણો કરાવી CM પછી PM બન્યાઃ હાર્દિકને લેટર બોમ્બ
અમદાવાદઃ હાર્દિક પટેલે ફરી એક વાર લેટર બોમ્બ ફોડ્યો છે. આ વખતે તેમના નિશાન પર નરેન્દ્ર મોદી આવ્યા છે. હાર્દિકે નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે જેમાં તેણે સનસનીખેજ આરોપ મુક્યા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના નેતા હાર્દિક પટેલે પત્રમાં 2002ના રમખાણો નરેન્દ્ર મોદીએ જ કરાવ્યા તે બધા જાણતા હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. રમખાણોના કેસોમાં મોટા ભાગે પાટીદાર યુવાનોને સજા પડી. પણ વડાપ્રધાન બન્યા પછી પણ તેમણે આ યુવાનોને સજા માફ કરાવી નથી. મોદીજી તમે પટેલોની પીઠમાં છરો ભોંક્યો એવો તેણે આક્ષેપ કર્યો છે.
અમદાવાદઃ હાર્દિક પટેલે ફરી એક વાર લેટર બોમ્બ ફોડ્યો છે. આ વખતે તેમના નિશાન પર નરેન્દ્ર મોદી આવ્યા છે. હાર્દિકે નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે જેમાં તેણે સનસનીખેજ આરોપ મુક્યા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના નેતા હાર્દિક પટેલે પત્રમાં 2002ના રમખાણો નરેન્દ્ર મોદીએ જ કરાવ્યા તે બધા જાણતા હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. રમખાણોના કેસોમાં મોટા ભાગે પાટીદાર યુવાનોને સજા પડી. પણ વડાપ્રધાન બન્યા પછી પણ તેમણે આ યુવાનોને સજા માફ કરાવી નથી. મોદીજી તમે પટેલોની પીઠમાં છરો ભોંક્યો એવો તેણે આક્ષેપ કર્યો છે.
અમદાવાદઃ હાર્દિક પટેલે ફરી એક વાર લેટર બોમ્બ ફોડ્યો છે. આ વખતે તેમના નિશાન પર નરેન્દ્ર મોદી આવ્યા છે. હાર્દિકે નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે જેમાં તેણે સનસનીખેજ આરોપ મુક્યા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના નેતા હાર્દિક પટેલે પત્રમાં 2002ના રમખાણો નરેન્દ્ર મોદીએ જ કરાવ્યા તે બધા જાણતા હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. રમખાણોના કેસોમાં મોટા ભાગે પાટીદાર યુવાનોને સજા પડી. પણ વડાપ્રધાન બન્યા પછી પણ તેમણે આ યુવાનોને સજા માફ કરાવી નથી. મોદીજી તમે પટેલોની પીઠમાં છરો ભોંક્યો એવો તેણે આક્ષેપ કર્યો છે.
હાર્દિક પટેલે ગોંધરાકાંડ પછી ગુજરાતમાં જે રમખાણો થયા તેમા સીટની તપાસ પછી કેટલા પાટીદારોને કેટલી સજા થઇ છે તેની યાદી પણ જાહેર કરી છે. જેમાં હાર્દિકે લખેલા દાવા મુજબ સરદારપુરા કેસમાં 31, ઓડકેસમાં 9, ઓડ-2 કેસમાં 23, દિપડા દરવાજા, વીસનગર કેસમાં 22, નરોડા પાટિયા કેસમાં 6 અને મહેસાણા કેસમાં 11 પટેલ યુવાનોને આજીવન કારાવાસની સજા થઈ છે.
હાર્દિક પટેલે નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જે શબ્દશ જોઇએ તો હાર્દિકે લખ્યું છે કે, 2002માં ગુજરાતમાં રમખાણો થયેલા, બધા જાણે જ છે કે, રમખાણો નરેન્દ્ર મોદીએ જ કરાવ્યાં. રમખાણોનો ફયદો ઉઠાવી નરેન્દ્ર મોદી પહેલાં તો મુખ્યમંત્રી બની ગયા અને પછી પ્રધાનમંત્રી પણ બની ગયા. પણ રમખાણોના આરોપમાં વધારે પડતા પાટીદાર સમાજના યુવનોને સજા થઈ. કયા કેસમાં કોને સજા થઈ એ લીસ્ટ નીચે છે, આ બધા જ જેલમાં સડી રહ્યાં છે. મોદીજી આ લોકોને કેમ નથી છોડાવતા? હવે તો મોદીજી પ્રધાનમંત્રી છે. રાષ્ટ્રપતિને ભલામણ કરીને આ બધાને સજા માફ કરાવી શકે એમ છે, પણ મોદીજી એવું નહિ કરે કેમ કે મોદીજીને હવે દેશ અને દુનિયાને પોતે (મોદીજી) બિનસંપ્રદાયિક વ્યક્તી છે એવું દેખાડવું છે. મોદીજીએ ગુજરાતીઓનો અને ખાસ કરીને પાટીદાર સમાજનો દુરઉપયોગ કર્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર