Home /News /gujarat /શું ચંદ્રબાબુ નાયડુએ જાસૂસી સોફ્ટવેર પેગાસસ ખરીદ્યું હતું? મમતાનાં આરોપો બાદ ઉઠી તપાસની માંગ

શું ચંદ્રબાબુ નાયડુએ જાસૂસી સોફ્ટવેર પેગાસસ ખરીદ્યું હતું? મમતાનાં આરોપો બાદ ઉઠી તપાસની માંગ

ફાઇલ ફોટો

Pegasus Spyware: YSRCP નાં પ્રવક્તા અને ધારાસભ્ય ગુડીવાડા અમરનાથે કહ્યું કે ચંદ્રબાબુ નાયડુએ તેમના કાર્યકાળ દરમિયાન પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કર્યો હતો. તેમણે આ આરોપો અંગે કેન્દ્ર સરકાર પાસેથી તપાસની માંગ કરી હતી. બીજી તરફ તેલુગુ દેશમ પાર્ટીએ આ દાવાને નકારી કાઢ્યો અને કહ્યું કે ચંદ્રાબાબુ નાયડુ સરકારે આવી કોઈ ખરીદી કરી નથી.

વધુ જુઓ ...
નવી દિલ્હી. એવું લાગે છે કે જાસૂસી સોફ્ટવેર પેગાસસનો મુદ્દો હવે કેન્દ્રથી રાજ્ય સરકારો સુધી પહોંચી ગયો છે. આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને YSR કોંગ્રેસ (YSRCP)એ આ મુદ્દે એકબીજા પર પ્રહારો કર્યા છે. YSRCPએ પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ વિરુદ્ધ તપાસની માંગ કરી છે. વાસ્તવમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ તાજેતરમાં જ દાવો કર્યો હતો કે ચંદ્રબાબુ નાયડુના કાર્યકાળ દરમિયાન આંધ્ર પ્રદેશ સરકારે આ સ્પાયવેર ખરીદ્યું હતું. તમને જણાવી દઈએ કે નાયડુ વર્ષ 2014 થી 2019 સુધી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી હતા.

YSRCP પ્રવક્તા અને ધારાસભ્ય ગુડીવાડા અમરનાથે કહ્યું કે ચંદ્રબાબુ નાયડુએ તેમના કાર્યકાળ દરમિયાન પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કર્યો હતો. તેમણે આ આરોપો અંગે કેન્દ્ર સરકાર પાસેથી તપાસની માંગ કરી હતી. તે જ સમયે, તેમણે આરોપ લગાવ્યો કે નાયડુ જ્યારે સીએમ હતા ત્યારે YSR કોંગ્રેસ સાથે સંબંધિત કૉલ્સ અને ડેટા સાથે પણ છેડછાડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો-JKમાં ગૃહમંત્રી અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક, સીમા પારના આતંકવાદની કમર તોડવા કડક સૂચના

'આ આખા મામલાની તપાસ થાય'
અમરનાથે કહ્યું, "જો ચંદ્રાબાબુ નાયડુએ સ્પાયવેર ખરીદ્યું છે, તો કેન્દ્ર અને રાજ્ય સરકારોએ તપાસ કરવી જોઈએ કે સોફ્ટવેર રાજકારણીઓ માટે ખરીદવામાં આવ્યું હતું કે ઉદ્યોગપતિઓ માટે." આ કોઈ મામૂલી મુદ્દો નથી, અમે આ મામલે સંપૂર્ણ તપાસની માંગ કરીએ છીએ. આ સોફ્ટવેરનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. લોકોની વાતચીત સાંભળવી અને ટ્રેક કરવી એ અક્ષમ્ય ગુનો છે.

મમતા બેનર્જીએ શું કહ્યું?
બંગાળના મુખ્યમંત્રીએ બુધવારે એસેમ્બલીમાં ખુલાસો કર્યો હતો કે તેમની સરકારને પેગાસસ સ્પાયવેરની ઓફર કરવામાં આવી હતી, જેને તેમણે ફગાવી દીધી હતી કારણ કે તેનાથી લોકોની ગોપનીયતાને અસર થશે. આ દરમિયાન તેણે દાવો કર્યો હતો કે ચંદ્રબાબુ નાયડુના કાર્યકાળ દરમિયાન આંધ્ર પ્રદેશ સરકારે આ સ્પાયવેર ખરીદ્યું હતું.

TDPએ આ દાવાનું કર્યું ખંડન
તેલુગુ દેશમ પાર્ટીએ આ દાવાને નકારી કાઢ્યો અને કહ્યું કે ચંદ્રબાબુ નાયડુ સરકારે આવી કોઈ ખરીદી કરી નથી. તેલુગુ દેશમ પાર્ટીના મહાસચિવ એન. લોકેશે કહ્યું, 'અમે ક્યારેય કોઈ સ્પાયવેર ખરીદ્યું નથી. અમે ક્યારેય કોઈ ગેરકાયદેસર ફોન ટેપિંગ કેસમાં સંડોવાયેલા નથી. હા, પેગાસસે આંધ્ર પ્રદેશ સરકારને તેના સ્પાયવેર વેચવાની ઓફર પણ કરી હતી, પરંતુ અમે તેને નકારી કાઢી હતી.
First published:

Tags: Chandrababu naidu, Latest News in Gujarati, મમતા બેનરજી