અરવલ્લી: ગુજરાતના અનેક વિસ્તારોમાંથી શનિવારે એક વાત વહેતી થઇ હતી કે, મહાદેવના મંદિરમાં (Mahadev and Nandi drinks water) નંદીજી ભક્તોના હાથથી પાણી પી રહ્યા છે. અરવલ્લી અને દાહોદના પણ કેટલાક વિસ્તારોમાં મહાદેવના શિવાલયોના શિવલિંગ અને નંદી પાણી પિતા હોવાના વીડિ્યો (viral video) સામે આવ્યા હતા. આ વીડિયોમા જોવા મળે છે કે, શિવલિંગ અને નંદી પાસે ચમચીથી પાણી ધરવામાં આવે તો તેઓ પાણી પી જાય છે. આવા અનેક વીડિયો સામે આવ્યા છે. જોકે ન્યૂઝ18 ગુજરાતી આવી ઘટનાઓને સમર્થન આપતું નથી. નોંધનીય છે કે, થોડા વર્ષો પહેલા ગણપતિ દાદા દૂધ પીએ છે તે વાત વાયુવેગે પ્રસરી જતા ઠેરઠેર લોકો ઘરે, મંદિરે ગણપતિને દૂધ પીવડાવતા હતા. શિવલિંગ દૂધ પીવે છે તેવી વાત પણ અગાઉ સામે આવી હતી.
મંદિરમાં ભક્તોની ભીડ
અરવલ્લી ઉપરાંત રાજકોટમાં પણ મોટામવા વિસ્તારમાં આવેલા કપિલેશ્વર મહાદેવ મંદિરમાં શનિવારે સાંજ પછી ભગવાન શિવજીને પ્રિય પોઠિયા દૂધ પીવે છે તેવી વાત લોકોમાં પ્રસરતા ભાવિકો મોટી સંખ્યામાં મંદિરે ઉમટયા હતા. આ અંગે પૂજારી કનૈયાલાલે મીડિયાને જણાવ્યું કે, તેમને આ વાતની ખબર ન હતી. સંધ્યા વખતે તેમને કેટલાક લોકોએ કહ્યું, પોઠિયો પાણી પીવે છે અને પછી દૂધ પીવે છે. જે બાદ આ વાત વાયુવેગે પ્રસરતા થોડી વારમાં મોટી સંખ્યામાં ભાવિકો આવ્યા હતા અને ચમચી ભરીને પોઠિયાને દૂધ પીવડાવ્યું હતું.
સુરતના પણ અલગ-અલગ વિસ્તારના શિવાલયોમાં નંદી પાણી પીતા હોવાની વાત વાયુવેગે પ્રસરતા લોકો મોટી સંખ્યામાં અને પાણી પીવડાવવા પહોંચ્યા હતા. જોકે આ ઘટના સાથે જોડાયેલા કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિામાં વાયરલ થતાની સાથે કુતૂહલ સર્જાયું છે.
આ પણ વાંચો - Child trafficking: અમદાવાદમાંથી બાળકીનું અપહરણ કરનારા નવ ઝડપાયા, બાળકીને બે લાખમાં વેચી
અરવલ્લી અને દાહોદના કેટલાક વિસ્તારોમાં મહાદેવનુ શિવલિંગમાં પાણી પિતા હોવાના વીડિ્યો સામે આવ્યા છે.આ વીડિયોમા શિવલિંગ પાસે ચમચીથી પાણી ધરવામાં આવે તો શિવલીંગ પાણી પી જતુ હોવાનો વીડિયો સામે આવ્યો છે.જો કે NEWS 18 ગુજરાતી આવી ઘટનાઓને સમર્થન નથી આપતુ. pic.twitter.com/nACQmC8fcO
જોકે, આ વાત રાજ્યના અનેક વિસ્તારોમાંથી સામે આવી હતી. શિવલિંગ અને નંદીજી પાણી પીતા હોય એવા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. જે બાદ મોટી સંખ્યામાં લોકો મંદિરોમાં જઇને જાતે પાણી પીવડાવ્યું હતું. કહેવાય છે ને કે 'માનો તો શ્રદ્ધા છે એને ના માનો તોઅંધશ્રદ્ધા' અહીંયા તો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ચમત્કારની વાત જે રીતે સામે આવી છે તેને લઈને લોકો મોટી સંખ્યામાં મંદિરો પર પહોંચી રહ્યા છે અને જે રીતે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે તેને લઈને હવે કુતૂહલ સર્જાયું છે. આ વચ્ચે લોકો જે રીતે મંદિર પર પહોંચી રહ્યા છે તેને લઈને શહેરમાં એક ચર્ચાનો દોર પણ શરૂ થયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર