Home /News /gujarat /આશાબેન પટેલના પાર્થિવ દેહના દર્શન ઊંઝામાં રખાશે, સિદ્ધપુરમાં થશે અંતિમ ક્રિયા

આશાબેન પટેલના પાર્થિવ દેહના દર્શન ઊંઝામાં રખાશે, સિદ્ધપુરમાં થશે અંતિમ ક્રિયા

આશાબેન પટેલની ફાઇલ તસવીર

ઊંઝા : મહેસાણા જિલ્લાના ઊંઝાનાં ધારાસભ્ય આશાબેન પટેલને (Ashaben Patel) ડેન્ગ્યૂ થતા આજે (12 december 2021) તેમનું નિધન થયું છે. ડેન્ગ્યૂ (dengue) થતા તેમનું લિવર ડેમેજ થયા બાદ તેમના શરીરના અનેક અવયવો ફેઇલ થઇ ગયા હતા. ગઈકાલે સારવાર માટે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં (Ahmedabad Zydus Hospital) દાખલ કરાયાં હતા. આશાબેનના મૃતદેહને ઊંઝા લઇ જવામાં આવશે.

પાર્થિવ દેહની અંતિમ ક્રિયા સિદ્ધપુરમાં કરાશે

આશાબેન પટેલના પાર્થિવ દેહને ઊંઝાના સ્વપ્ન બંગ્લોઝ નિવાસ સ્થાને લઇ જવામાં આવશે. સ્વપ્ન બંગ્લોઝથી મોડી સાંજે પાર્થિવ દેહને APMC ઉંઝા લઈ જવાશે. રાત્રી દરમ્યાન પાર્થિવ દેહ ઉંઝા APMC ખાતે રાખવામા આવશે. બાદમાં આવતીકાલે સવારે ઉંઝા શહેરમાં અંતિમ યાત્રા યોજાશે. સવારે અંતિમ યાત્રા તેમના વતન વિશોળ ગામે જશે. વિશોળથી પાર્થિવ દેહને સિદ્ધપુર અંતિમધામ લઈ જવાશે. જે બાદ સિદ્ધપુરમાં સ્વ.આશાબેન પટેલનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલીન થશે.

ઊંઝાનાં ધારાસભ્ય આશા પટેલને અંગે ઝાયડસના ડાયરેક્ટર ડો.વી.એન.શાહે ગઇ કાલે મહત્ત્વનું નિવેદન આવ્યું હતુ. તેમણે જણાવ્યું હતું કે, આશા પટેલના મોટા ભાગનાં અંગો ફેલ થયા છે. આવા સંજોગોમાં રિક્વરીના ચાન્સ બહુ ઓછા લાગી રહ્યા છે. હાલ તેમને બચાવવાના તમામ પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. તેમનું નિયમિત ડાયાલિસિસ કરવામાં આવી રહ્યું છે અને તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યાં છે.

આ પણ વાંચો- ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન, ડેન્ગ્યૂના કારણે મ્લટી ઓર્ગન થયા હતા ફેઇલ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝાના ધારાસભ્ય ડો.આશા બહેન પટેલના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. ભૂપેન્દ્ર પટેલે ડો.આશા બહેન પટેલે એક જાગતિક જન પ્રતિનિધિ તરીકે જનસેવા સાથે લોક પ્રશ્નોના ઉકેલ માટે સતત કાર્યરત રહીને એક સંનિષ્ઠ ધારાસભ્ય તરીકે આપેલી સેવાઓની સરાહના કરી છે. મુખ્યમંત્રીએ સ્વ.આશા બહેન ના આત્માની શાશ્વત શાંતિની પ્રભુ પ્રાર્થના પણ કરી છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે.



ભાજપનાં પ્રદેશ અગ્રણી ભરત પંડ્યાએ  શ્રધ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, 'ઊંઝાનાં ધારાસભ્ય આશાબહેન પટેલનાં અચાનક અવસાનથી ભાજપ અને લોકોએ સેવા અને વિકાસ માટે જુજારુ એવાં સક્ષમ મહિલા આગેવાન ગુમાવ્યાં છે.' ભગવાન તેમનાં આત્માને શાંતિ આપે અને તેમનાં પરીવારને અને સહુને આઘાત સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના.
First published:

Tags: Gujarat BJP, Unjha MLA Asha Patel, ગુજરાત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો