વિવિધ થિમો પર ટેબ્લો સાથે દેશ માટે શહિદ થયેલા અનેક વીરોના વિચારોને યુવાનો સુઘી પહોંચાડવાનું કામ યાત્રા દરમિયાન કરવામાં આવશે.
ગુજરાતભરમાં આશરે 3 હજાર કિમી ફરી 80 વિઘાનસભા બેઠકો પર વિવિધ થિમો પર ટેબ્લો સાથે દેશ માટે શહિદ થયેલા અનેક વિરોના વિચારોને યુવાનો સુઘી પહોંચાડવાનું કામ યાત્રા દરમિયાન કરવામાં આવશે.
ગાંધીનગર : દેશમાં ચાલી રહેલા આઝાદીકા 75 અમૃત મહોત્સવ (Azadi ka Amrut Mahotsav) નિમિત્તે પ્રદેશ યુવામોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં ભાજપના (Gujarat BJP) સ્થાપના દિન 6 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન ગુજરાતભરમાં યાત્રા યોજાશે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી સુર્યા,પ્રદેશના મહામંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવો 6 એપ્રિલના રોજ અમદાવાદ ખાતેથી યાત્રાને પ્રસ્થાન કરાવશે. ગુજરાતભરમાં (Gujarat) આશરે 3 હજાર કિમી ફરી 80 વિઘાનસભા બેઠકો પર વિવિધ થિમો પર ટેબ્લો સાથે દેશ માટે શહિદ થયેલા અનેક વીરોના વિચારોને યુવાનો સુઘી પહોંચાડવાનું કામ યાત્રા દરમિયાન કરવામાં આવશે. આશરે 400 જેટલા સ્થાનો પર યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. યાત્રાનું સમાપન 25 એપ્રિલ સુરત મહાનગર ખાતેથી કરવામાં આવશે.
પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો. પ્રશાંતભાઇ કોરાટે પ્રત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે, યુવા મોરચા દ્વારા દેશના 75માં આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે દેશના અમૃત કાળનો સંદેશો યુવાનો સુઘી પહોચે અને યુવાનોમાં એક દેશ ભક્તિનું સંચાર થાય તે હેતુથી ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ 6 એપ્રિલના રોજ અમદાવાદ ખાતેથી યાત્રાની શરૂઆત કરવામાં આવશે. આ યાત્રાને 6 એપ્રિલના રોજ પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સુર્યા તેમજ પ્રદેશના મહામંત્રીઓ અને અન્ય પદાધિકારીઓ અમદાવાદ ખાતે ઉપસ્થિત રહી યાત્રાને પ્રસ્થાન કરાવશે.
પ્રશાંત કોરાટે વધુમાં જણાવ્યું કે, યુવા મોરચા દ્વારા 75 બાઇકો સાથે ગુજરાતભરમાં આશરે 3 હજાર કિમી ફરી 80 વિઘાનસભા બેઠકો પર દેશ માટે શહિદ થયેલા અનેક વીરોના વિચારોને યુવાનો સુઘી પહોંચાડવાનું કામ હાથ ધરશે. આ યાત્રામાં અલગ-અલગ થીમના ટેબ્લો સાથે સમગ્ર ગુજરાતમાં આ યાત્રા ફરશે. અમદાવાદથી શરૂ થઇને યાત્રા ઉત્તર ઝોનના દરેક જીલ્લામાં પહોંચશે ત્યાર બાદ સૌરાષ્ટ ઝોનના દરેક જીલ્લામાં પહોંચશે ત્યાથી નડિયાદ થઇ મધ્યઝોનના દરેક જીલ્લામાં થઇ દક્ષિણ ઝોનમાં સુરત ખાતે 25 એપ્રિલે યાત્રાનું સમાપન થશે.
પ્રશાંત કોરાટે વધુમાં જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં 400થી વધુ સ્થાનો પર યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે સાથે અમુક સ્થાનો પર નાની-મોટી સભા યોજવમાં આવશે. 2022થી 2047 સુધી અમૃકાળના સમયમાં 18થી 25 વર્ષના યુવાનો આવનાર સમય છે. અને આવનાર સમયમાં ભારત શક્તિશાળી દેશ બને તેવુ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરનું સ્વપ્ન છે. આ દેશના યુવાનો પર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબને સંપુર્ણ વિશ્વાસ છે ત્યારે આ યાત્રા ગુજરાતના દરેક યુવાનો સુઘી આઝાદીકા અમૃત મહોત્સવ યાત્રાનો મેસેજ પહોંચે તે માટે આ યાત્રાનું આયોજન કરાયું છે.
પ્રશાંત કોરાટે વધુમાં જણાવ્યું કે, આ યાત્રામાં દેશને આઝાદી અપાવનાર સ્વતંત્ર સેનાનીઓના ધરના આંગણાની માટી એકત્ર કરવામાં આવશે સાથે આઝાદ ભારતના જે પણ સૈનિકોએ આપણા દેશની રક્ષા માટે શહિદી વ્હોરી છે તેમના પરિવારજનોને મળી તેમના ઘરના આંગણાની માટી પણ કળશમાં એકત્ર કરવામાં આવશે તેમજ કોરોના જેવી વૈશ્વીક મહામારીમાં ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને પણ શહિદનું બિરુદ મળ્યુ છે તેમના પરિવારજનોને મળી તેમના ઘરની માટી એકત્રીકરણ કરવામાં આવશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર