પ્રજ્ઞા કૌશિક, ગાંધીનગર: યુપી સહિત 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી (UP Assembly Election) પૂર્ણ થયા બાદ હવે ભાજપની નજર ગુજરાત વિધાનસભા (Gujarat Election 2022)ની ચૂંટણી પર છે. 12 માર્ચે પીએમ મોદી (PM Modi)ના ગુજરાત પ્રવાસ પરના રોડ શો સાથે પાર્ટીએ ચૂંટણીનું રણશિંગૂં ફૂંકી દીધું છે. ભાજપના ગુજરાત એકમના મોટા નેતાઓ અને સરકારના મંત્રીઓ પહેલેથી જ રાજ્યની મુલાકાતે છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) આગામી વિધાનસભાની ચૂંટણીઓ અને ગૃહ રાજ્યમાં વધુ સારું પ્રદર્શન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah)ના દબાણ અંગે News18 સાથે ખાસ વાતચીત કરી હતી.
સવાલ: પંજાબની જેમ ગુજરાતમાં પણ કોંગ્રેસે અન્ય પ્રાદેશિક રાજકીય પક્ષોને પોતાનું સ્થાન આપ્યું છે. પરંતુ ગુજરાત અત્યાર સુધી દ્વિધ્રુવી ચૂંટણીનું રાજ્ય રહ્યું છે, શું તમને લાગે છે કે આ ચૂંટણીમાં બદલાવ આવશે?
જવાબ: અમારો સિદ્ધાંત છે કે, અમારા વિકાસ કાર્યો સાથે છેલ્લી હરોળના નાગરિકો સુધી પહોંચવું. આયોજન કરતી વખતે અમે સૌથી પછાત અને દલિત વ્યક્તિને ધ્યાનમાં રાખીએ છીએ. અમે સુનિશ્ચિત કર્યું છે કે, તેઓને વૃદ્ધાવસ્થા અને વિધવા પેન્શન અને રાશન જેવી સરકારી યોજનાઓનો મહત્તમ લાભ મળે.
સવાલ: આ વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટી યોજના કઈ છે જે ભાજપ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે?
જવાબ: અમે લાંબા સમયથી ગુજરાતમાં છીએ અને ગ્રીન એનર્જી અને ઝીરો કાર્બન રેટિંગનો કોન્સેપ્ટ અમારા માટે એક મોટું કામ છે. આ અંગે કામગીરી કરવામાં આવી રહી છે. અમે ઈલેક્ટ્રિક વાહનો અને બેટરી માટે જાપાન સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. અમે રિલાયન્સ સાથે રૂ. 5 લાખ કરોડ માટે ગ્રીન એનર્જી માટે અન્ય એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. ગ્રીન એનર્જી તરફનું અમારું પગલું પેટ્રોલિયમ પરની આપણી નિર્ભરતા ઘટાડશે.
સવાલઃ આમ આદમી પાર્ટી મફતમાં સુવિધાઓ આપી રહી છે, તમે આ ચૂંટણીમાં તેમની સાથે કેવી રીતે ટક્કર કરશો?
જવાબ: હું મફતમાં સુવિધા પણ આપી શકું છું. રાજસ્થાનનું બજેટ જુઓ. કોવિડ પછી રાજકોષીય ખાધનો ગુણોત્તર નીચા સ્તરે છે. તે 3% જેટલો અથવા ઓછો હોવો જોઈએ. જોકે કેન્દ્ર સરકારે કોવિડને કારણે 4.5%ની છૂટ આપી છે. આમ છતાં સરકારની રાજકોષીય ખાધ 2% સુધી પહોંચી નથી કે અમે ટેક્સ વધારીને લોકો પર બોજ નાંખ્યો નથી. બીજેપી સિવાયના રાજ્યોમાં તે વધીને 4.6 ટકા થઈ ગયો છે. આ લોકશાહી વ્યવસ્થા છે.
સવાલઃ ગુજરાતમાં ભાજપની સાથે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં છે, તમારા માટે કેટલો મોટો પડકાર છે?
જવાબઃ આમ આદમી પાર્ટીની સાથે સાથે કોઈપણ પાર્ટી ચૂંટણી લડી શકે છે. પરંતુ ભાજપ 365 દિવસ કામ કરે છે. તે દરરોજ લોકો માટે કામ કરે છે. નાગરિક ચૂંટણીમાં અમને સારા પરિણામો મળ્યા છે. ગાંધીનગરમાં 44 નગરપાલિકાની બેઠકોમાંથી ભાજપને 41 બેઠકો મળી છે. ભાજપે અહીં પ્રથમ વખત સારું પ્રદર્શન કર્યું છે.
સવાલ: તમે ગુજરાત મોડલની વાત કરી. આ પીએમ મોદીનું ગૃહ રાજ્ય છે અને તમે તે બેઠક પર છો જે તેમણે વર્ષો પહેલા કબજે કરી હતી. ચૂંટણીમાં વધુ સારું કરવા માટે તમે કેટલું દબાણ અનુભવો છો?
જવાબઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેજોડ છે. 'નરેન્દ્રભાઈ એક જ છે'. આપણે તેમના નેતૃત્વમાં કામ કરવાનું છે અને વૈશ્વિક સ્તરે પણ તેમના જેવું કાર્ય કોઈ કરી શકે નહીં. પરંતુ નરેન્દ્ર મોદીએ ભૂતકાળમાં જે પણ કર્યું, અમે તેમનું સન્માન કરીએ છીએ. આ કામ શરૂ કરવામાં તેમને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે. પરંતુ તેમના કાર્યોએ અમારો માર્ગ સરળ બનાવ્યો છે.
સવાલ: ગુજરાતની લઘુમતીઓ વિશે તમારું શું માનવું છે?
જવાબ: અમે આ ધારણા પર કામ કરતા નથી. અમે દરેક માટે કામ કરીએ છીએ. રાજ્યમાં તમામ માટે નીતિઓ બનાવવામાં આવી છે અને જો તેમાં છૂટછાટ આપવામાં આવશે તો કોઈને પણ બાકાત રાખવામાં આવશે નહીં.
સવાલ: છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને જોરદાર ટક્કર આપી હતી. શું આ વખતે પણ પડકાર અઘરો હશે?
જવાબ: કોઈપણ વિધાનસભાની ચૂંટણી પહેલા સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવામાં આવે છે અને આજે અમે તમામ સ્થાનિક જિલ્લા પંચાયતોમાં સત્તામાં છીએ. મને નથી લાગતું કે કોંગ્રેસ તરફથી કોઈ પડકાર છે. ભાજપ સંગઠન અને સરકાર યોજનાઓને પાયાના સ્તરે લાગુ કરવા માટે વધુ સારી રીતે કામ કરે છે.