બનાસકાંઠા: ભારત-પાક. સરહદ (India Pakistan Border) પાસે બનાસકાંઠાના નડાબેટ (Nadabet ) ખાતે બીએસએફનો (BSF) પ્રથમઅત્યાધુનિક પ્રોજેક્ટ ‘સીમાદર્શન પ્રોજેક્ટ’નું આજે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના (Home Minister Amit Shah) હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આજથી ભારત-પાક સરહદ- નડાબેટ ખાતે પણ વાઘા-અટારી બોર્ડર (wagah attari border) જેવો નજારો જોવા મળશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સવારે નડાબેટ પહોંચીને નડેશ્વરી માતાના દર્શન કર્યા હતા. તે બાદ 125 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સીમા દર્શન પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કર્યુ હતુ.
Gujarat | Union Home minister Amit Shah inaugurates border viewing point on the India-Pakistan international boundary in Nadabet in Banaskantha district. The viewing point has been made on the lines of the one at Wagah border in Punjab pic.twitter.com/D1OKH729z2
પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર ટુરિઝમના વિકાસ માટે ‘ટી-જંક્શન’, ઝીરો પોઇન્ટ તથા ટી-જંક્શનથી લઇને ઝીરો પોઇન્ટ સુધીના રસ્તા પર વિવિધ વિકાસકાર્યો કરવામાં આવ્યા છે. રાષ્ટ્રની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહૂતિ આપનાર વીર સૈનિકોની સ્મૃતિમાં ‘અજય પ્રહરી’ સ્મારકનું નિર્માણ કરાયું છે. તેમજ 40 ફૂટની ઊંચાઈ પર ત્રિરંગો લહેરાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો - Nadabet: નડાબેટમાં 125 કરોડના ખર્ચે નબેલા ટુરિઝમ પ્રોજેક્ટનું આજે ઉદ્ઘાટન, જાણો સુવિધાઓ
આ ઉપરાંત, પ્રવાસીઓ ભારત-પાકિસ્તાન બોર્ડરનો નજારો જોવાનો રોમાંચક અનુભવ પણ કરી શકે તે માટે બીએસએફ દ્વારા બીટિંગ રિટ્રીટ સમારોહનો પણ આરંભ કરાયો છે. જવાનોના શૌર્યથી ભરપૂર દ્રશ્યોને જોઇને પ્રવાસીઓના દિલમાં જવાનો પ્રત્યે અનોખા ગર્વ અને શ્રદ્ધાની લાગણી પેદા થશે.
Live: માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં નડાબેટ ખાતે સીમા દર્શન માટે નિર્માણ કરેલ પ્રવાસન સુવિધાઓનું લોકાર્પણ. જિલ્લો: બનાસકાંઠા https://t.co/Z4WaT8Sd6I
પ્રવાસીઓને નડાબેટમાં ભારતીય સેના અને બીએસએફના હથિયારો જેવા કે, જમીનથી જમીન પર અને જમીનથી હવામાં વાર કરનારી મિસાઇલ્સ, ટી-55 ટેંક, આર્ટિલરી ગન, ટોરપીડો, વિંગ ડ્રોપ ટેંક તથા મિગ-27 એરક્રાફ્ટને જોઇ શકે તેવી વ્યવસ્થાનો પણ પ્રારંભ કરાયો છે. નડાબેટ સીમાદર્શન પ્રોજેક્ટ દેશમાં બીએસએફનો પ્રથમ અત્યાધુનિક પ્રોજેક્ટ છે, જે બીએસએફના ઉદભવ, વિકાસ અને યુદ્ધોમાં તેની ભૂમિકા તેમજ સિદ્ધિઓ સહિત દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા વીરોની ગૌરવગાથાઓનું સચિત્ર દર્શન કરાવશે.