Home /News /gujarat /વિજાપુરના લાડોલમાં એક જ પરિવારના 4 લોકોએ મોતની છલાંગ લગાવી

વિજાપુરના લાડોલમાં એક જ પરિવારના 4 લોકોએ મોતની છલાંગ લગાવી

વિજાપુરના લાડોલમાં એક જ પરિવારના 4 લોકોએ મોતની છલાંગ લગાવી

કુટુંબીજનોના આંતરિક કલેહના કારણે ઘટના બની હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે

મહેસાણા : મહેસાણાના વિજાપુર પાસે આવેલા લાડોલની સીમમાં એક જ પરિવારના 4 લોકોએ મોતની છલાંગ લગાવી છે. અવાવરું કુવામાં એક જ પરિવારના ચાર સભ્યોએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેમાં પતિ-પત્ની અને તેમના બે બાળકો સામેલ છે.

કુટુંબીજનોના આંતરિક કલેહના કારણે ઘટના બની હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. પતિ-પત્નીએ બે બાળકો સાથે કુવામાં પડતા ગામમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. કુવામાં પડેલા 4 સભ્યોને બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં એક  બાળકનું મોત નિપજ્યું છે. પતિ-પત્ની અને એક બાળકનો બચાવ થયો છે. ત્રણેયને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો - સુરેન્દ્રનગર : મહિલા પીએસઆઇ હેતલ રબારીએ જાન જોખમમાં મુકી લૂંટારુઓની કાર ઝડપી

ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ટીડીઓ, તલાટી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
First published:

Tags: Gujarati news, Latest gujarati news, Latest News, Latest today news, આત્મહત્યા