મહેસાણા : મહેસાણા તાલુકાના મંડાલી હાઇવે પર ટુંડાલીની સીમમાં આવેલી સોમેશ્વર જીઆઇડીસીમાં રાજ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં ઝેરી કેમિકલના સંપર્કમાં આવતા 3 મજૂરના મોતની ઘટના સામે આવી છે. કેમિકલ ભરેલી ટાંકી સાફ કરી રહ્યા હતા ત્યારે ગેસનું પ્રેશર વધતાં થયેલા ઝેરી ધુમાડાને કારણે બેભાન થઇ ગયેલા 3 શ્રમિકોનાં મોત થયા હતા.
ઝેરી કેમિકલના સંપર્કમાં આવતા 3 મજૂરના મોત થયા છે. સેફટી સાધનો વિના ઝેરી કેમિકલના સંપર્કમાં આવ્યા હતા. આ મામલે ફેક્ટરીના માલિકો મિતુલ મિસ્ત્રી અને રવિ પટેલ સામે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ છે.
આ પણ વાંચો - સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપે 500 વકીલોની ફોર્સ ઉતારી, જાણો કેમ
મૃતકોમાં રામસીંગ વેનારામ રાવણા (રાજપુત) (28), ઉત્તમકુમાર મિશ્રારામ ગવારીયા (22) અને પુખરાજ ટાંક (38) છે. ત્રણેય મૃતકો રાજસ્થાનના છે.
Published by:Ashish Goyal
First published:February 02, 2021, 23:34 pm