liveLIVE NOW

Live News Update: સોખડા મંદિરનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો, સોખડા મંદિરમાં 400થી વધુ સાધુ સંતોને ગોંધી રાખ્યાની ફરિયાદ

PM Modi Gujarat Visit third day: વડાપ્રધાન દાહોદમાં 20 હજાર કરોડના વિકાસ કાર્યોનુ લોકાર્પણ અને ખાતમુર્હૂત કરશે.

  • News18 Gujarati
  • | April 20, 2022, 21:21 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: A YEAR AGO

    હાઇલાઇટ્સ

    21:56 (IST)

    ગુજરાતમાંથી ચોખાનો 9000 કરોડનો બિઝનેસ થયો. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વધ્યું એક્સપોર્ટ

    21:23 (IST)

    સોખડા મંદિરનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો, 

    સોખડા મંદિરમાં 400થી વધુ સાધુ સંતોને ગોંધી રાખ્યાની ફરિયાદ

    બંધકોને છોડાવી કોર્ટ સમક્ષ હાજર કરવા હુકમ

    10 હજાર કરોડ રુપિયાની સંપત્તિ પચાવી પાડવા ફરિયાદ

    હરિપ્રસાદ સ્વામીના સેક્રેટરીએ કોર્ટમાં કરી છે અરજી

    18:56 (IST)

    અમદાવાદ: ખાનગી સ્કૂલના ફી સ્લેબમાં વધારો કરવા માગ

    છેલ્લા 5 વર્ષથી સ્લેબમાં વધારો નથી કરાયો

    33 ટકા સુધીનો વધારો કરવા માગ

    પ્રાયમરીની ફી 15 હજારથી 20 હજાર કરવા માગ

    18:15 (IST)

    રાજકોટની હોસ્પિટલમાંથી ફરાર થવાના કેસમાં કાંધલ જાડેજા દોષિત

    રાજકોટની JMFC કોર્ટે દોષિત જાહેર કર્યા

    કોર્ટે કાંધલ જાડેજાને દોઢ વર્ષની સજા સંભળાવી

    10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો

    18:10 (IST)

    ડિઝલના ભાવવધારાથી બોટ માલિકોને ફટકો. માછીમારોને આર્થિક નુક્સાન 

    18:9 (IST)

    ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ ગુજરાત આવશે. સંગઠનના નેતાઓ સાથે મુલાકાત કરશે પ્રભારી

    17:25 (IST)

    દાહોદને સ્માર્ટ સિટી બનાવવાના અનેક પ્રોજેક્ટ : PM મોદી

    17:19 (IST)

    વલસાડની અતુલ કંપનીમાં આગ. ભીષણ આગને લઈને મેજર કોલ જાહેર કરાયો

    PM Modi in Gujarat: આજે બુધવાર, 20મી માર્ચ 2022 (20th March, 2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં આયોજીત ગ્લોબલ આયુષ ઈન્વેસમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ 2022નું વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સવારે 10.30 કલાકે ઉદ્ઘાટન કરશે. આજે વડાપ્રધાન દાહોદમાં 20 હજાર કરોડના વિકાસ કાર્યોનુ લોકાર્પણ અને ખાતમુર્હૂત કરશે, 1419 કરોડના સંપન્ન થયેલા વિકાસ કાર્યો આદિવાસી જનતાને સમર્પિત કરશે તેમજ ૫૫૦ કરોડ ઉપરાંતના વિકાસ કાર્યોનુ ખાત મુહૂર્ત થશે. યુકેના પ્રધાનમંત્રીને આવકારવા માટે અમદાવાદમાં તડામાર તૈયારીઓ થઇ રહી છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આજથી યોગ, ગરબા સર્ટીફીકેટ કોર્સ શરૂ થવાનો છે. WHOના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયસસ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે.

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો