
શરીરના તમામ અંગોમાંથી સૌથી લાંબુ અને મહત્વનું અંગ એટલે નાનું આંતરડુ . શરીરમાં 95 ટકા પોષક તત્વોને પચાવીને પાછા ખેંચવાનું કામ નાનું આંતરડું કરે છે. ઘણી વખત લોહીના ગઠ્ઠા પડી જવા એટલે કે થ્રોમ્બોસીસ થઇ જવાથી જેવા કારણોથી આંતરડાની ધોરી નસમાં બ્લોક થઇ જાય છે. અથવા તો ઇજાના કારણે તૂટી જાય છે. ઘણી વખત આંતરડામાં વળ ચળી જાય અને આંતરડુ કાળુ પડી જાય. આ બધા કારણોસર આંતરડાની લંબાઇ 25 સે.મી. થી ઓછી થઇ જાય છે. તેવી પરિસ્થિતિમા વ્યક્તિની ચયાપચન કરવું અત્યંત મુશકેલ બની રહે છે. આવી પરિસ્થિતિમાં નાના આંતરડાનું પ્રત્યારોપણ જ એક માત્ર વિકલ્પ રહે છે.