
નવી દિલ્હીઃ વન રેન્ક વન પેન્સન પર પૂર્વ ફૌજીએ આજે આપઘાત કરી લીધા પછી રાજકારણ ગરમાયું છે. બુધવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સૈનિકના પરિવારજનોને મળવા રામમનોહર લોહિયા હોસ્પિટલ પહોચ્યા હતા. પરંતુ પોલીસે અંદર જવા દીધા ન હતા. રાહુલ ગાંધીની અટકાયત કરીને મંદિર માર્ગ પોલીસ મથકે લવાયા હતા. જો કે બાદમાં છોડી મુકાયા હતા. પરંતુ થોડા સમય પછી રાહુલ ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાની કનાટ પ્લેસ પોલીસે ફરી અટકાયત કરી હતી. અને બંનેને મંદિર માર્ગ પોલીસ સ્ટેશને લવાયા હતા.