Home /News /gujarat /કાનપુર ટ્રેન અકસ્માત : અત્યાર સુધી 130 લોકોના મોત, 150 ઘાયલ

કાનપુર ટ્રેન અકસ્માત : અત્યાર સુધી 130 લોકોના મોત, 150 ઘાયલ

ઉત્તરપ્રદેશમાં કાનપુરના પુખરાયામાં રવિવારે સવારે ઇન્દોર રાજેન્દ્ર નગર એક્સપ્રેસ ટ્રેન અકસ્માતમાં મૃતકોનો આંકડો વધીને 130 પહોંચ્યો છે. જ્યારે ઘાયલ 150થી વધુની કાનપુરની વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.

ઉત્તરપ્રદેશમાં કાનપુરના પુખરાયામાં રવિવારે સવારે ઇન્દોર રાજેન્દ્ર નગર એક્સપ્રેસ ટ્રેન અકસ્માતમાં મૃતકોનો આંકડો વધીને 130 પહોંચ્યો છે. જ્યારે ઘાયલ 150થી વધુની કાનપુરની વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.

  • Pradesh18
  • Last Updated :
    કાનપુર #ઉત્તરપ્રદેશમાં કાનપુરના પુખરાયામાં રવિવારે સવારે ઇન્દોર રાજેન્દ્ર નગર એક્સપ્રેસ ટ્રેન અકસ્માતમાં મૃતકોનો આંકડો વધીને 130 પહોંચ્યો છે. જ્યારે ઘાયલ 150થી વધુની કાનપુરની વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.

    વાંચો : કાનપુર ટ્રેન અકસ્માતની તમામ ખબરો

    આ ટ્રેન ઇન્દોરથી પટના જઇ રહી હતી. કાનપુરના જિલ્લા અધિકારી કાર્યાલાયએ આ અકસ્માતમાં મૃતકોની સંખ્યા 130 થયાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે આ અકસ્માત બાદ જિલ્લાની હૈલટ હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલોમાં 150થી વધુ લોકોની સારવાર ચાલી રહી છે. આ અકસ્માતમાં અત્યાર સુધી 58 મૃતકોની ઓળખ થઇ ચૂકી છે.

    વાંચો : ટ્રેન અકસ્માતથી છીનવાઇ આ માસુમની મમતા...

    રવિવારે મોડી રાતે ટ્રેન અકસ્માતમાં ઘાયલોના હાલચાલ પુછવા માટે હોસ્પિટલ પહોંચેલા રેલવે મંત્રી સુરેશ પ્રભુએ કહ્યું કે, પુખરાયા અકસ્માતની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે. રેલવે રાજ્ય સરકાર સાથે મળીને રાહત પહોંચાડવા પ્રયત્નશીલ છે.

    ફોટા: પટના ઇન્દોર એક્સપ્રેસનો દર્દનાક અકસ્માત, તસ્વીરો જુઓ

    રેલવે રાજ્યમંત્રી મનોજ સિંહા રવિવારે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં કરવા માટે તાકીદ કરી હતી.

    અહીં નોંધનિય છે કે, ઇન્દોર પટના એક્સપ્રેસ રવિવારે વહેલી સવારે કાનપુરના પુખરાયામાં અકસ્માતગ્રસ્ત થઇ હતી. આ અકસ્માતમાં 150થી વધુ ઘાયલોની વિભિન્ન હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.
    First published:

    Tags: કાનપુર ટ્રેન દુર્ઘટના, કાનપુર રેલવે દુર્ઘટના, સુરેશ પ્રભુ

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો