Home /News /gujarat /ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર થયું ક્રેશ, ત્રણ અધિકારીઓના મોત
ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર થયું ક્રેશ, ત્રણ અધિકારીઓના મોત
ભારતીય વાયુસેનાનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ ર્દુઘટનાઆજે સવારે પશ્વિમ બંગાળના સુકાનામાં બની છે. જેમાં વાયુસેનાના ત્રણ અધિકારીઓના મોત નીપજ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
ભારતીય વાયુસેનાનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ ર્દુઘટનાઆજે સવારે પશ્વિમ બંગાળના સુકાનામાં બની છે. જેમાં વાયુસેનાના ત્રણ અધિકારીઓના મોત નીપજ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
નવી દિલ્હી #ભારતીય વાયુસેનાનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ ર્દુઘટનાઆજે સવારે પશ્વિમ બંગાળના સુકાનામાં બની છે. જેમાં વાયુસેનાના ત્રણ અધિકારીઓના મોત નીપજ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
પશ્વિમ બંગાળમાં સેનાનું હેલીકોપ્ટર ચિતા ક્રેશ થયું છે. જેમાં સેનાના ત્રણ અધિકારીઓ સવાર હતા. જેમના મોત નીપજ્યાં છે. આ ઘટના પશ્વિમ બંગાળના સુકાનામાં સાડા દસ વાગ્યાની આસપાસ બની છે.
આ ર્દુઘટના કયા કારણોસર ઘટી ચતે હજુ સુધી જાણવા નથી મળ્યું પરંતુ આ મામલે ઉચ્ચ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ હેલિકોપ્ટર વાયુ સેનાના અધિકારીઓને ફરજ પર જવા માટે ઉપયોગમાં લેવાતું હતું.
અહીં નોંધનિય છે કે, ભારતીય વાયુસેનામાં ઉપયોગમાં લેવાતું સિંગલ એંજિન ટર્બોસાફ્ટવાળું આ ચિતા હેલિકોપ્ટર ફ્રેન્ચ બનાવટનું છે. આ હેલિકોપ્ટરની ક્ષમતા ત્રણ વ્યક્તિઓ કે 100 કિલો વજન વહન કરવાની છે. આ હેલિકોપ્ટર વધુમાં વધુ 121 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે.