Home /News /gujarat /હનુમાનજીથી આજે પણ નારાજ છે ગામલોકો, નથી કરતા પૂજા

હનુમાનજીથી આજે પણ નારાજ છે ગામલોકો, નથી કરતા પૂજા

હિન્દુ ધર્મમાં હનુમાનજીને જાગતા દેવ માનવામાં આવે છે, હનુમાનજી આજે પણ સાક્ષાત હોવાનું માનવામાં આવે છે અને લોકોની એમના પર આસ્થા અને શ્રધ્ધા અકબંધ છે. પરંતુ અમે અહીં આપને એક એવા ગામની વાત કરવા જઇ રહ્યા છીએ કે જ્યાંના રહેવાસીઓ હનુમાનજીથી નારાજ છે અને એમની સેવા પૂજા કે આરાધના નથી કરતા. માનવામાં ન આવે એવી વાત છે પરંતુ વર્ષોથી આ ગામમાં હનુમાનજીની પૂજા નથી કરાતી અને આજે પણ આ પરંપરા ચાલી આવે છે.

હિન્દુ ધર્મમાં હનુમાનજીને જાગતા દેવ માનવામાં આવે છે, હનુમાનજી આજે પણ સાક્ષાત હોવાનું માનવામાં આવે છે અને લોકોની એમના પર આસ્થા અને શ્રધ્ધા અકબંધ છે. પરંતુ અમે અહીં આપને એક એવા ગામની વાત કરવા જઇ રહ્યા છીએ કે જ્યાંના રહેવાસીઓ હનુમાનજીથી નારાજ છે અને એમની સેવા પૂજા કે આરાધના નથી કરતા. માનવામાં ન આવે એવી વાત છે પરંતુ વર્ષોથી આ ગામમાં હનુમાનજીની પૂજા નથી કરાતી અને આજે પણ આ પરંપરા ચાલી આવે છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી #હિન્દુ ધર્મમાં હનુમાનજીને જાગતા દેવ માનવામાં આવે છે, હનુમાનજી આજે પણ સાક્ષાત હોવાનું માનવામાં આવે છે અને લોકોની એમના પર આસ્થા અને શ્રધ્ધા અકબંધ છે. પરંતુ અમે અહીં આપને એક એવા ગામની વાત કરવા જઇ રહ્યા છીએ કે જ્યાંના રહેવાસીઓ હનુમાનજીથી નારાજ છે અને એમની સેવા પૂજા કે આરાધના નથી કરતા. માનવામાં ન આવે એવી વાત છે પરંતુ વર્ષોથી આ ગામમાં હનુમાનજીની પૂજા નથી કરાતી અને આજે પણ આ પરંપરા ચાલી આવે છે.

    આ અનોખું ગામ ઉત્તરાખંડમાં આવેલું છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના દ્રોણગીરી પર્વત પર આવેલા દ્રોણગીરી ગામમાં આજે પણ લોકો હનુમાનજી નારાજ છે. ગામ લોકોનું માનવું છે કે, લક્ષ્મણને બચાવવા માટે હનુમાનજી અહીંથી સંજીવની માટે પર્વતનો એક આખો ભાગ ઉઠાવી ગયા હતા. આ વાતથી નારાજ ગામ લોકો વર્ષોથી હનુમાનજીની પૂજા નથી કરતા.

    ગામલોકોના જણાવ્યા અનુસાર મેઘનાદ સાથેના યુધ્ધમાં લક્ષ્મણ જ્યારે મૂર્છિત થયા ત્યારે હનુમાનજી અહીં સંજીવની જડીબુટ્ટી લેવા માટે આવ્યા હતા. એ વખતે એમના પહાડ દેવ ધ્યાન મુદ્રામાં હતા. પરંતુ હનુમાનજી એમની અનુમતી લીધા વિના અહીંથી સંજીવની જડીબુટ્ટી માટે પર્વતનો આખે આખો એક ભાગ ઉઠાવી ગયા હતા. જેનાથી પહાડ દેવની સાધના પણ ભંગ થઇ હતી.

    હનુમાનજીએ પહાડ દેવતાની એક બાજુ ઉખાડી દીધી હતી. જેને પગલે ગામલોકોનું માનવું છે કે, આજે પણ પહાડ દેવતાના એ ભાગમાંથી રક્ત વહી રહ્યું છે. આ કારણોસર જ અહીંના લોકો હનુમાનજીથી નારાજ છે અને એમની પૂજા કરતા નથી. ગામલોકોનું એ પણ કહેવું છે કે, આજે પણ એમને પહાડ દેવતા દેખાય છે. પહાડ દેવતાને નુકશાન પહોંચાડ્યું હોવાથી ગામલોકો હનુમાનજીથી નારાજ છે.
    First published:

    Tags: ધર્મ ભક્તિ, હનુમાન જયંતિ, હનુમાનજી