અમદાવાદ: 7મી માર્ચથી શરૂ થનારી ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષાની હોલ ટીકિટોનું 25મીએ સોમવારે શિક્ષણ બોર્ડ દ્વારા વિતરણ થશે. શિક્ષણ બોર્ડ દ્વારા હોલ ટીકિટના વિતરણ માટે દરેક જીલ્લામાં સ્કૂલો નક્કી કરવામા આવી છે જ્યાંથી તમામ સ્કૂલોએ હોલ ટીકિટ મેળવી લેવાની રહેશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને આપી દેવાની રહેશે.
બોર્ડની પરીક્ષા શરૂ થવામાં હવે ગણતરીનાં જ દિવસો બાકી છે ત્યારે વાલી અને બાળકોનું ટેન્શન પણ વધતું જઇ રહ્યું છે. વાલીઓ અને પરીક્ષાર્થીઓ પોતાનો નંબર કઇ શાળામાં આવશે તેની રાહ જોઇને બેઠા છે. શિક્ષણ બોર્ડ બોર્ડ હોલ ટિકીટનાં વિતરણની તારીખ જાહેર કરી દીધી છે. જે પ્રમાણે 25મીએ સોમવારે રાજ્યના તમામ જીલ્લાના વિતરણ કેન્દ્રો પર ધો.10, ધો.12 સાયન્સ અને ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાની હોલ ટીકિટોનું વિતરણ સ્કૂલોને કરવામા આવશે.આ માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તમામ જીલ્લામાં મળીને વિતરણ કેન્દ્રો નક્કી કરાયા છે.
અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્યમા મળીને ત્રણ સ્કૂલો વિતરણ માટે નક્કી કરવામાં આવી છે. જેમાં અમદાવાદની દિવાન બલ્લુભાઈ સ્કૂલ, એરોમા સ્કૂલ અને શ્રીજી વિદ્યાલનો સમાવેશ થાય છે. આ સ્કૂલો ખાતે તમામ સ્કૂલોના પ્રતિનિધિઓએ આવી વિદ્યાર્થીઓની હોલ ટીકિટો મેળવી લેવાની રહેશે. ત્યારબાદ સ્કૂલોએ વિદ્યાર્થીઓને વિતરણ કરી દેવાની રહેશે.આ વર્ષે ધો. 10 અને ધો. 12ની બોર્ડ પરીક્ષામા અંદાજે 17.25 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર