Home /News /gujarat /Shankarsinh Vaghela: શંકરસિંહ વાઘેલાએ રાજકારણમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રીને કોંગ્રેસની સૌથી મોટી ભૂલ ગણાવી
Shankarsinh Vaghela: શંકરસિંહ વાઘેલાએ રાજકારણમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રીને કોંગ્રેસની સૌથી મોટી ભૂલ ગણાવી
શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, ગુજરાતમાં ભાજપ હારી શકે છે અને માત્ર 2 મહિનામાં હારી શકે છે.
બાપુએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, આપ મને કહો કે ગુજરાતમાં કોઈ સરકાર છે? ગુજરાતમાં લોકો દુઃખી છે. Bjp મજબૂત નથી. પરંતુ કોગ્રેસ નબળું છે એટલે પ્રોબલ્મ છે.
ગુજરાત (Gujarat)માં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી (Assambly Election)ઓ યોજાશે, આવામાં ગુજરાતના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા (ShankarSinh vaghela)એ આજે પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ પાર્ટી (Gujarat Congress)ને લઇ કેટલાક ખુલાસા કર્યા હતા સાથે જ તેમણે પાંચ રાજ્યોમાં કોંગ્રેસની હારને લઇ પાર્ટીના કેટલાક ખોટા નિર્ણયો પર પણ પોતાનું મંતવ્ય આપ્યું હતું, સાથે જ કોગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)ની રાજકારણમાં એન્ટ્રીને ખોટો નિર્ણય ગણાવ્યો હતો. પાટીદાર નેતા નરેશ પટેલ (Naresh patel)ને લઇ બાપુએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
શંકર સિંહ વાઘેલા (બાપુ)એ પત્રકાર પરિષદની શરૂઆતમાં કહ્યું કે, પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસ કંઇ સરૂ પ્રદર્શન કરી શકી નહીં કારણ કે પાર્ટીમાં કેટલાક નિર્ણયો ખોટા લેવામા આવ્યા હતા. જેમા સૌપ્રથમ ખોટો નિર્ણય પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રી હતી. આજે હોળીનું દહન છે બધા જ તમારા પ્રોબ્લેમ દૂર થાય એવી પ્રાર્થના કરું છું. આજે હોળી દહન સાથે તમામ ની મુશ્કેલી દૂર થાય છે. જોકે પાંચ રાજ્યોમાં કોંગ્રેસની હારને એક પ્રોબ્લમ ગણાવતા કહ્યું કે જનરેશન ગેપ થાય એ પ્રોબ્લેમ તો થવાનો જ છે. હું એહમદ પટેલના કામનો સાક્ષી છું. કોગ્રેસને આવરણ લઈને સારી રીતે સાંભળતા હતા. યૂપીમાં કોગ્રેસ પાર્ટીએ પ્રિયંગા ગાંધીના હાથમાં કમાન આપીને ખોટો નિર્ણય લીધો હતો.
ગાંધીનગરથી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની પ્રેસ કોન્ફરન્સ
સોનિયા ગાંધી પછીની પેઢીમાં જનરેશન ગેપ દેખાય છે : શંકરસિંહ વાઘેલા pic.twitter.com/oXMIfwvOLp
બાપુએ વધુમાં કહ્યું કે, પોલિટિકલ સ્ટેટર્જી અને એમનો અભાવ આખા દેશ અને કોગ્રેસમાં પણ છે. કોગ્રેસમાં સાચા સલાહકાર નથી રહ્યા. જોડવાને બદલે તોડવાનું કામ હાલ કોગ્રેસમાં થઈ રહ્યું છે. અમે તો કોગ્રેસમાં છીએ પણ કાલે ઘણા લોકો મળ્યા. જેઓ જ્યારે એન્ટી ગાંધી કે એન્ટી સોનિયા નથી બની શક્યા. પરંતુ પાર્ટી બને તો આશા તો બધાને થાય છે. ચીફ ઓફ ઇન્સ્ટ્રયુટની ફરજ છે કે આંતરિક વિખવાદ અટકાવે. પંજાબમાં કેપ્ટન અમરિદસિંગ સારા હતા. પરંતુ એ ગયા કારણ કે, કોઈ ને પણ ખબર છે ચાલુ રેસમાં ઘોડો નાં બદલાય.પંજાબમાં જે થયું એ ખરેખર કોગ્રેસની મોટી હાર છે.
શંકર સિંહ વાઘેલાએ કહ્યું કે, ઇન્દિરાજી એ પોતે ઘણા નેતાઓ ને જીતાડ્યા હતા. આવનાર દિવસોમાં ભાજપ વિરુદ્ધ કોગ્રેસ લડવા માટે જરૂરી છે. પાટીદાર નેતા નરેશ પટેલ ખોડલધામ સાથે સંકળાયેલા છે. એ તો એ જ જાણે કઈ પાર્ટી જોઈન કરશે. તેઓ કઇ પાર્ટીમાં સામેલ થશે તે વિશે હું કંઇ કહી શકૂં નહીં તે તેમનો નિર્ણય છે.
ત્યાં જ બાપુએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, આપ મને કહો કે ગુજરાતમાં કોઈ સરકાર છે? ગુજરાતમાં લોકો દુઃખી છે. Bjp મજબૂત નથી. પરંતુ કોગ્રેસ નબળું છે એટલે પ્રોબલ્મ છે. ગુજરાતમાંએડમિનિસ્ટ્રેશન નથી. ગુજરાતમાં ભાજપ હારી શકે છે અને માત્ર 2 મહિનામાં હારી શકે છે. પરંતુ કેવી રીતે 2 મહિનામાં હારે છે એ મહત્વનું છે. કોરોના મહામારીમાં સૌથી વધારે હું ફર્યો છું. દર શનિ-રવિવારે હું લોકો વચ્ચે રહ્યો છું.