સંજય જોશી, અમદાવાદ : રાજ્યભરમાં કાયદો માત્ર કાગળ પર રહે તે વ્યાજબી નહીં તેવી અરજદારે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે. ફાયર સેફટીની સુવિધા ના હોય તેવી જગ્યાઓએ સખત કાર્યવાહી થાય તેવી અરજદારની માંગણી છે. હાઈરાઈઝ બિલ્ડીંગ અને રાઈઝ બિલ્ડિંગ માટેના ધારાધોરણોમાં ફેરફારની જરૂરિયાત હોવાની પણ રજૂઆત છે. આ ઘટનામાં સુરતના તક્ષશિલા આર્કેડમાં બનેલી આગની ઘટનાનો કિસ્સો પણ ટાંકવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારે કોર્ટમાં નિવેદન આપ્યુ હતું કે સુરતમાં બનેલી ઘટના ને સરકાર ગંભીરતાથી લઇ રહી છે. ફાયર સેફટી એક્ટના અમલ બાબતે સરકારે ઘણા બધા પગલાં લીધા છે અને હજુ પણ આ મુદ્દાને ગંભીરતાથી લઈ સરકાર કાર્યવાહી કરી રહી છે. કોર્ટે આપેલી નોટિસને સરકારે સ્વીકારી છે. આવી જ એક બીજી પિટિશન અગાઉ પણ દાખલ થઈ છે એટલે બંન્ને પિટિશન ની સુનાવણી 10 તારીખે સાથે હાથ ધરવામાં આવશે ત્યારે આગામી દિવસોમાં લેવાનારા પગલા બાબત નો રિપોર્ટ રાજ્ય સરકાર 10 ઓક્ટોબરના રોજ કોર્ટમાં સબમિટ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતનાં સરથાણા જકાતનાકા પાસે તક્ષશિલા આર્કેડમાં આવેલા ક્લાસિસમાં પ્રચંડ આગ ફાટી નીકળી હતી. જેથી વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતાં. ફસાયેલા વિદ્યાર્થીઓએ ઉપરથી છલાંગ લગાવી હતી. જેમાં ચારના મોત નીપજ્યાં હતાં. જ્યારે આગના કારણે અંદર અન્ય વિદ્યાર્થીઓના ભડથા થઈ ગયાં હતાં. કુલ 17 ના મોત નીપજ્યાં હતાં. જ્યારે સાતેક ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. વધુ સુનાવણી 10 ઓક્ટોબરના રોજ હાથ ધરાશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર