રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂનો કેર ઓછો થવાનું નામ જ નથી લેતો. ગુજરાતમાં ગઇકાલે સ્વાઇન ફ્લુના 80થી વધુ કેસ નોંધાયા હતા. તેમાંપણ અમદાવાદમાં થોડા સમયમાં સ્વાઇન ફ્લૂનાં કેસોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ હેલ્થ વિભાગે સ્કૂલો માટે એક એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં સ્કૂલોને તાકીદ કરવામાં આવ્યું છે કે તેમની શાળામાં કોઇપણ બાકળ બીમાર હોય તો તે શાળાએ આવે નહીં. શાળા તંત્રએ વિદ્યાર્થીઓનાં વાલીઓ સાથે મિટીંગ કરીને આ અંગેની જાણ કરવાની રહેશે.
આ સાથે જ ગુજરાતમાં જાન્યુઆરીથી અત્યાર સુધી 1117 વ્યક્તિ સ્વાઇન ફ્લુની ઝપેટમાં આવી ચૂકી છે. આ 1117માંથી 541 કેસ છેલ્લા 10 દિવસમાં જ નોંધાયા છે. ગઇકાલે સ્વાઇન ફ્લુને કારણે 1 વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું.
મ્યુનિ.હેલ્થ વિભાગે જારી કરેલી એડવાઈઝરીમાં એવું જણાવવામાં આવ્યુ છે કે, સિઝનલ ફ્લૂ સામે પગલાં લેવા એ દેશની સેવા સમાન છે. એટલે શરદી, ખાંસી, તાવ જેવા સામાન્ય લક્ષણો દેખાય તો તાત્કાલિક તેનુ નિદાન મેળવુ લેવુ. કોર્પોરેશનની દરેક હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂની ફ્રી દવા અને સારવાર આપવામાં આવે છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર