અમદાવાદ: ગુજરાતના શહેરી વિસ્તારના સૌથી લાંબા 4.18 કિ.મી.ના ગોતા ફ્લાયઓવરથી (Gota flyover) સાયન્સ સિટી બોક્સ સુધીના એલિવેટેડ કોરિડોરનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) આજે ઉદ્દઘાટન કર્યુ હતુ. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) તથા મકાન મંત્રી પૂર્ણેશ મોદી તેમજ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા,મેયર કિરીટ પરમાર,અમદાવાદ શહેર અને ગાંધીનગર ના ધારાસભ્યો,પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદ , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ ભાઈ બારોટ,અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ,પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને પદાધિકારીઓ તેમજ અગ્રણીઓ અને માર્ગ મકાન સચિવ તેમજ વિભાગ ના અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ બ્રિજ સોલા ભાગવત, કારગિલ, જનતાનગર, ઝાયડસ એમ 4 સૌથી વ્યસ્ત જંકશનને આવરી લે છે. આ બ્રિજને લીધે એસ.જી.હાઇવે પર ટ્રાફિકની સમસ્યા હલ જશે.
36 મહિનામાં SG હાઈવે પર 6 ઓવરબ્રિજનું કામ પૂર્ણ
અમદાવાદ-ગાંધીનગરને જોડવા એસજી હાઈવે પર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે. સરખેજ-ગાંધીનગર હાઈવેનો બે વર્ષ પહેલા, 28 સપ્ટેમ્બર 2018માં શિલાન્યાસ કરાયો હતો. 2016માં સરખેજ હાઈવેના 6 હાઈવેને મંજૂરી મળી હતી. 6 ફલાઈઓવર માટે 867 કરોડની ફાળવણી કરવામાં આવી હતી.
બ્રિજની તસવીર
44.2 કિલોમીટરના હાઈવે પર 7 ફલાઈઓવર, 1 અંડરપાસ, 2 રેલ્વે ઓવરબ્રિજનો સમાવેશ થાય છે. 36 મહિનામાં SG હાઈવે પર 6 ઓવરબ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવ્યુ છે. 7માંથી એક ઓવરબ્રિજનું કામ બાકી છે.
જેથી હવે સરખેજથી ગાંધીનગર 25 મિનિટમાં જ પહોંચી જવાશે. પહેલા ગાંધીનગર પહોંચવામાં 40થી 45 મિનિટનો સમય લાગતો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 21 જૂને સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર અંદાજે રૂ.80 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા ત્રણ ઓવર બ્રિજ વૈષ્ણોદેવી ફ્લાય-ઓવર બ્રિજ, ખોડિયાર કન્ટેનર યાર્ડ ફ્લાય-ઓવર બ્રિજ અને છત્રાલ-પાનસર રોડ ખાતે રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.