Home /News /gujarat /પરપ્રાંતિયો પર હુમલાઃ ઠાકોર સેનાના મીડિયા સેલ ઈન્ચાર્જ સહિત 10ની ધરપકડ

પરપ્રાંતિયો પર હુમલાઃ ઠાકોર સેનાના મીડિયા સેલ ઈન્ચાર્જ સહિત 10ની ધરપકડ

સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવતા, કોમેન્ટ્સ, પોસ્ટ્સ તથા વીડિયો પોસ્ટ કરનારા અલગ-અલગ લોકોની 70-80 પ્રોફાઈલ શોધી તથા 35 જેટલી વીડિયો લિંક્સ મેળવીને ટેકનિકલ એનાલિસિસ કર્યું

સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવતા, કોમેન્ટ્સ, પોસ્ટ્સ તથા વીડિયો પોસ્ટ કરનારા અલગ-અલગ લોકોની 70-80 પ્રોફાઈલ શોધી તથા 35 જેટલી વીડિયો લિંક્સ મેળવીને ટેકનિકલ એનાલિસિસ કર્યું


રાજ્યભરમાં પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલાને પગલે પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે અને અફવા ફેલાવનારાઓને વીણી વીણીને ઝડપી રહી છે. જેને પગલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઠાકોર સેનાના પાલનપુરના મીડિયા સેલ ઈન્ચાર્જ સહિત સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનારા વધુ 10 લોકોની ધરપકડ કરી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનાની તપાસ દરમિયાન ઓપન સોર્સ ઈન્ટેલિજન્સની મદદથી ટેકનિકલ સર્વેલન્સના આધારે સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવતા, કોમેન્ટ્સ, પોસ્ટ્સ તથા વીડિયો પોસ્ટ કરનારા અલગ-અલગ લોકોની 70-80 પ્રોફાઈલ શોધી તથા 35 જેટલી વીડિયો લિંક્સ મેળવીને ટેકનિકલ એનાલિસિસ કર્યું હતું. ત્યાર બાદ આરોપીઓને ઓળખી કાઢીને શોધખોળ શરૂ કરી હતી. જેને પગલે ગુજરાતના વિવિધ જિલ્લામાંથી ઓરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

અહીં ક્લિક કરી વાંચો પરપ્રાંતિયોને હાંકનાર જાણી લો : સ્થળાંતરિતોની ભૂમિ છે ગુજરાત !

આ તમામ આરોપીઓ પૈકી બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપાયેલો રાહુલ નગીન પરમાર ગ્રેજ્યુએટ છે. તે મોબાઈલની દુકાનમાં નોકરી કરે છે અને છેલ્લા બે વર્ષથી ક્ષત્રિય ઠાકોર સેનામાં જોડાયેલો છે. તેમજ પાલનપુર મીડિયા સેલનો પ્રમુખ છે. તેની સાથે સાથે તે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટરમાં પોતાના નામથી એકાઉન્ટ ધરાવે છે. માત્ર એટલું જ નહીં, આરોપી 10 જેટલા વોટ્સએપ ગ્રુપ પણ ચલાવી રહ્યો છે અને સમાજમાં બનતી ઘટનાઓ સોશિયલ મીડિયામાં શેર અને પોસ્ટ કરવાનું કામ કરે છે. જ્યારે આરોપી જગદીશસિંહ ઠાકોરે એલએલબીનો અભ્યાસ કર્યો છે. તે પણ સોશિયલ મીડિયામાં અલગ-અલગ પોસ્ટ્સ શેર કરી પરપ્રાંતીયોને નિશાન બનાવે છે.

આવી રીતે એક્ટિવ હતા સોશિયલ મીડિયા પર

ક્રાઈમ બ્રાન્ચે આ તમામ આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન કબજે કર્યા છે. તેમજ ફોનની અંદર રહેલા વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ આરોપીઓ વોટ્સએપ ગ્રુપો મારફતે એકબીજા સાથે ગુનાહીત કૃત્યો આચરતા ઝડપાયા છે. તેઓ સામાજિક અશાંતિ અને વૈમનસ્ય ફેલાઈ તથા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડે તેવા મેસેજીસ મોકલતા હોવાની જાણ થતા તમામને પકડી પાડવામાં આવ્યા છે.

ધરપકડ કરાયેલા લોકોની વાત કરીએ તો અમદાવાદ શહેરમાંથી કિરણ કુબેર મકવાણા(ઉ.વ.31 ), ભાવેશ મંગાજી ઠાકોર(ઉ.વ.25), પ્રવીણ રમેશજી ચૌહાણ(ઉ.વ.20) તો અમદાવાદ ગ્રામ્યમાંથી સતીષ સુરેશ સૈજા(પટેલ) (ઉ.વ.21), તથા બનાસકાંઠા જિલ્લામાંથી જગદીશસિંહ બાલસંગજી ઠાકોર(ઉ.વ.24), ઈશ્વર ભવરલાલ સોનગરા (ઉ.વ.21), રાહુલ કુમાર નગીનભાઈ પરમાર(ઠાકોર) (ઉ.વ.24). કચ્છ પૂર્વ જિલ્લામાંથી તુષાર મગન સોલંકી(ઉ.વ.21). પાટણ જિલ્લામાંથી અમિત કુમાર સેવંતી લાલ પંચાલ (ઉ.વ.30) અને બચુજી સોવનજી ઠાકોર (ઉ.વ.23)ની ધરપકડ કરવામાં આવી છે.
First published:

Tags: Gujarati news, Migrant, અમદાવાદ, ગુજરાત, ગુજરાતી સમાચાર, બિહાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો