રાજકોટ : શહેરમાં (Rajkot) વધુ એક આપઘાતનો (student Suicide) કિસ્સો સામે આવ્યો છે. ધોરણ-10 બોર્ડની હાલ પરીક્ષા આપતી વિદ્યાર્થિનીએ પેપર નબળા જતા અગ્નિસ્નાન કર્યું હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થિનીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પણ પૂર્ણ કરવામાં આવી છે. તેમજ પંચનામાની કાર્યવાહી ની સાથો સાથ મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં પીએમની પ્રક્રિયા પૂર્ણ થતા મૃતકની લાશને તેના પરિવારજનોને સોંપવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત ધોરણ 10 બોર્ડની પરીક્ષા 28 માર્ચ 2022થી શરૂ થઇ છે. ત્યારે અત્યાર સુધીમાં વિદ્યાર્થિની સહિત તમામ પરીક્ષાર્થીઓએ પેપર આપ્યા છે. જ્યારે કે, આગામી પેપર 4 એપ્રિલના રોજ લેવામાં આવનાર છે. ત્યારે પોતાના બંને પ્રથમ પેપર નબળા જતાં વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો હોવાનું પરિવારજનો દ્વારા જાણવા મળ્યું છે.
ગુરૂવારના રોજ વિદ્યાર્થિનીએ બાથરૂમમાં પેટ્રોલ લઈ જઇ પોતાના પર છાંટી આગ ચાંપી હોવાનું જાણવા મળી રહ્યું છે. પરિવારજનો દ્વારા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મોડી રાત્રે દોઢ વાગ્યાની આસપાસ મૃત્યું નીપજયું હોવાનું સામે આવ્યું છે. મૃતકના પિતા ડ્રાઇવિંગ કરી પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે.
વિદ્યાર્થિનીનો પરીક્ષા માટે નંબર કડવીબાઈ વિદ્યાલયમાં આવ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે હાલ ભક્તિનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
" isDesktop="true" id="1194683" >
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ બોર્ડની પરીક્ષા સમયે આ પ્રમાણે સામ્યતા ધરાવતા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ક્યારેક પરીક્ષાર્થીઓ પરીક્ષા સારી ન જતા આપઘાત કરી લે છે તો ક્યારેય પરિણામ નબળું આવતા પરીક્ષાર્થીઓ આપઘાત કરી લે છે.