પીએમ મોદી દ્વારા રાહતકાર્ય માટે સહાય રકમની ઘોષણા. ટાઉતેની તારાજી પર પીએમ મોદીએ સહાય જાહેર કરી. કેન્દ્ર દ્વારા ગુજરાતને 1000 કરોડ રૂપિયાની સહાય જાહેર. પીએમ મોદીએ અસરગ્રસ્ત જિલ્લાઓનું હવાઇ નિરીક્ષણ કર્યું. રાજ્યમાં થયેલા નુકસાન માટે કેન્દ્રની ટીમો આવતી રહેશે
ટાઉતે વાવાઝોડાની અસર ઓછી થતા એસટી વિભાગનો નિર્ણય. તમામ ડેપોમાં આપવામાં આવી સૂચના. રસ્તા સારા હોય અને કોઈ અડચણ ન હોય ત્યાં એસટી બસના રૂટ શરૂ કરવા આપી સૂચના. ભાવનગર અને અમરેલીમાં સર્વે કરી રૂટ ચાલુ કરવા સૂચના અપાઈ. મુસાફરોને હાલાકી ન પડે તે માટે લેવાયો નિર્ણય. રસ્તા સારા હોય ત્યાં સવારથી બસ સેવા ડેપો દ્વારા શરૂ કરી શકાશે. રાજુલા, બગસરા અને ઉના એસટી સ્ટેશન પર નુકસાન. 125 ડેપોની મળી 1 હજાર ટ્રીપો શરૂ કરી દેવાઈ તેમજ અન્ય ટ્રીપો સાંજ સુધી શરૂ થઇ જશે તેવી અધિકારીઓને આશા
પીએમ મોદી પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ, CM સાથે ખાસ બેઠક
વાવાઝોડાના પરિણામે રાજ્યમાં અંદાજે 3000 કરોડનું નુકશાન