Home /News /gujarat /માછીમારી કરવા ગયેલા ઓખાના માછીમારો પર પાક મરીનનું ફાયરિંગ, 6નું અપહરણ કર્યું એકનું મોત
માછીમારી કરવા ગયેલા ઓખાના માછીમારો પર પાક મરીનનું ફાયરિંગ, 6નું અપહરણ કર્યું એકનું મોત
પાકિસ્તાન મરીન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં એક માછીમારનું મોત. (પ્રતિકાત્મક તસવીર)
પાકિસ્તાન મરીને (pakistan marine) 1 ભારતીય બોટ સાથે 6 ભારતીય માછીમારોનું અપહરણ કર્યું હતું. માછીમારોએ (fishermen) માહિતી આપી છે કે આ દરમિયાન પાકિસ્તાન તરફથી પણ અંધાધૂંધ ગોળીબાર (firing) કરવામાં આવ્યું હતું.
જામનગર: સરહદ બાદ હવે પાકિસ્તાને (pakistan) દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારત વિરુદ્ધ કાર્યવાહી કરી છે. રવિવારે પાકિસ્તાન મરીને (pakistan marine) 1 ભારતીય બોટ સાથે 6 ભારતીય માછીમારોનું અપહરણ કર્યું હતું. માછીમારોએ (fishermen) માહિતી આપી છે કે આ દરમિયાન પાકિસ્તાન તરફથી પણ અંધાધૂંધ ગોળીબાર (firing) કરવામાં આવ્યું હતું. જેમાં એક માછીમારનું મોત થયું હતું અને એક વ્યક્તિ ઘાયલ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના IMBL પાસે બની છે.
પાકિસ્તાને કરેલા ગોળીબારમાં એકનું મોત
પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં એક માછીમારનું મોત થયું છે, જ્યારે આ ફાયરિંગમાં ઘણા ઘાયલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ટીવી રિપોર્ટ્સ અનુસાર ઘાયલોને સારવાર માટે દ્વારકાની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાને સરહદી વિસ્તારમાં આવું કૃત્ય કર્યું હોય. પાકિસ્તાન દરિયાઈ સરહદ પર પણ સરહદે આવી હરકતો કરતું રહે છે.
દ્વારકા દરિયા કિનારે પાકિસ્તાન મરીનનું ફાયરિંગ
ગયા વર્ષે એપ્રિલમાં પણ પાકિસ્તાની મરીન દ્વારા ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં દરિયાઈ સરહદ પાસે બે બોટ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. તે સમયે બોટમાં 8 લોકો પણ સવાર હતા. ત્યારે આ ફાયરિંગમાં ઉત્તર પ્રદેશનો એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ત્યારે પણ આ બંને બોટ દ્વારકાના દરિયા વિસ્તારમાં હતી. જો કે, દ્વારકાના એસપીએ જણાવ્યું હતું કે બોટો દરિયાઈ સીમા ઓળંગી ગઈ હશે, જેના પછી પાકિસ્તાની મરીને તેમના પર ગોળીબાર કર્યો હશે.
આ અંગે માછીમારોએ તેમના રેડિયો સેટ પરથી ભારતીય કોસ્ટ ગાર્ડને સંપૂર્ણ માહિતી પણ આપી હતી. આ પછી ભારતે આ મામલો પાકિસ્તાની સમકક્ષો સમક્ષ ઉઠાવ્યો હતો. બાદમાં પાકિસ્તાન મરીન્સે પુષ્ટિ કરી હતી કે તેઓએ બે બોટ કબજે કરી છે. આ પછી વાતચીત બાદ તેને ભારત પરત લાવવામાં આવ્યો હતો.
ઓખા મરીન પોલીસ દ્વારા મૃતક માછીમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દ્વારકા અને ત્યારબાદ જામનગર ખસેડવામાં આવ્યો હતો. તથા ઘાયલ માછીમારને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ઓખાથી દરિયામાં માછીમારી કરવા ગયેલી જલપરી નામની બોટમાં પાકીસ્તાનની મરીને ફાયરીંગ કર્યુ હતું. જેમાં એક શ્રીધર નામના માછીમારનું મોત થયું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર