Home /News /gujarat /વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં 150 કાર્યકર્તાના રાજીનામાથી ખળભળાટ

વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં 150 કાર્યકર્તાના રાજીનામાથી ખળભળાટ

દેશ સહિત હવે રાજ્યમાં પણ હવે ચૂંટણી માહોલ જામી ગયો છે. નેતાઓની અદલા બદલી તો જાણે ગુજરાતમાં સામાન્ય બની ગયું છે, પરંતુ હવે પાયાના કાર્યકરો પણ પક્ષ પલટો કરી રહ્યાં છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીનું ગઢ ગણાતા અમરેલીમાં એક સાથે 150 કોંગ્રેસના કાર્યકરોએ અચાનક રાજીનામું આપી દેતા ભારે ચર્ચા જાગી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે સાવરકુંડલા તાલુકાના 150 કોંગી કાર્યકરોએ એક સાથે રાજીનામા આપી દીધા છે, થોડા સમય પહેલા સહકારી નેતા દિપક માલાણીને કોંગ્રેસ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા, જેને લઇને જૂના કાર્યકરોની બેઠક મળી હતી. જેમાં નિર્ણય લેવાયો કે દિપક માલાણીને સસ્પેન્ડ કરવાના વિરોધમાં રાજીનામા આપવા. જેમાં જિલ્લા પંચાયતની વિજપડી અને આંબરડી બેઠકના જિલ્લા પંચાયતના સભ્યોએ રાજીનામા આપી દીધા છે. આ રાજીનામામાં લાલભાઇ મોર અને રમીલાબેન માલાણીએ પણ રાજીનામું આપ્યું છે.

અહીં ક્લિક કરી વાંચોઃ વિવેક ઓબરેયના 9 Look, ફિલ્મમાં જુઓ મોદીના હિમાલયનાં સાધુ બન્યાની કહાની

સાવરકુંડલા એ ધારાસભ્ય પ્રતાપ દુધાતનો વિસ્તાર છે, એવામાં કાર્યકરોના રાજીનામાથી સ્થાનિક લેવલે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પહેલાથી જ એક પછી એક ધારાસભ્યો કોંગ્રેસનો હાથ છોડી રહ્યાં છે, એવામાં કાર્યકરોની નારાજગી અને રાજીનામાથી કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં મોટો ફટકો પડી શકે છે.
First published:

Tags: Congress worker, Election 2019, Lok Sabha Election, Paresh dhanani, કોંગ્રેસ, ગુજરાત