Home /News /gujarat /ગુજરાતના આ પૂર્વ MLA કરશે જીવતે જગતિયુ, 'મરસિયાની મોજ' કાર્યક્રમ યોજાશે

ગુજરાતના આ પૂર્વ MLA કરશે જીવતે જગતિયુ, 'મરસિયાની મોજ' કાર્યક્રમ યોજાશે

મહિપતસિંહ જાડેજાની ફાઇલ તસવીર

અંકિત પોપટ, રાજકોટઃ સામાન્ય રીતે કોઇપણ વ્યક્તિના મૃત્યુ પછી દાન કે સેવાકીય કાર્યો કરવામાં આવે છે, પરંતુ રાજકોટ નજીક આવેલા ગોંડલના પૂર્ણ ધારાસભ્યએ જીવતાં જ જગતિયું કરવાનું નક્કી કર્યું છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાએ પોતાના 83મા જન્મ દિવસે જ મરણની મોજ માણવાની ઇચ્છા દર્શાવી છે. આ માટે અહીં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનો 24મી તારીખે જન્મ દિવસ છે. આ જન્મ દિવસે નિમિત્તે રિબડા ગામ ખાતે અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રિબડા ખાતે મરસિયાની મોજ નામથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

અહીં ક્લિક કરી વાંચોઃ લગ્ન પહેલાં સરકાર ફરજિયાત બ્લડ ટેસ્ટ કરાવશે , કારણ જાણવા જેવું

ગોંડલના રિબડા ખાતે આયોજીત આ કાર્યક્રમમાં ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના જાણીતા 12 કવિને બોલાવવામાં આવ્યા છે. આ સિવાય 111 દીકરીઓનું કન્યાદાન કરવામાં આવશે.
First published:

Tags: Former MLA