ન્યૂઝ 18 ગુજરાતી : પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એનિમલ એક્ટિવિસ્ટ મેનકા ગાંધીએ રાજકોટના ગ્રેટ ગોલ્ડન સર્કસમાં પ્રાણીઓ પર અત્યાચાર થતો હોવાની ફરિયાદ કર્યા બાદ સર્કસમાંથી હાથી, ઘોડા, કુતરા, પોપટ સિઝ કરાયા છે. રાજકોટના જીવદયાપ્રેમી ભાવિન પટેલે મેનકા ગાંધીને સર્કસના પ્રાણીઓ પર અત્યાચાર થતો હોવાની ફરિયાદ કરી હતી. ઉલ્લેખનીય છે કે આજથી રાજકોટમાં ગ્રેટ ગોલ્ડન સર્કસનો શો શરૂ થાય તેવી વકી હતી.
પ્રાણીઓ પર અત્યાચારની ફરિયાદ બાદ મેનકા ગાંધીએ રાજકોટ કલેકટરને ફરિયાદ કરી હતી. કલેક્ટર રાહુલ ગુપ્તાએ એનિમલ વેલફેર જોગવાઈના આધારે કાર્યવાહી કરી હતી. કલેક્ટરે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, પશુપાલન વિભાગને પોલીસ સાથે રાખી તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
આ તપાસ દરમિયાન પશુઓને રાખવામાં આવતા પીંજરા, પ્રાણીઓને રાખવાની રીત અને સરકસમાં તેમના ઉપયોગની બાબતો ચકાસતા પ્રાણીઓ પર અત્યાચાર થયો હોવાનું માલુમ થયું એટલે કલેક્ટરે પ્રાણીઓ સિઝ કરવા આદેશ આપ્યો હતો.
જપ્ત કરાયેલા પ્રાણીઓ પૈકી બે હાથીને જંગલને ખાતાને સોંપી દેવામાં આવ્યા છે, જ્યારે ઘોડા, અને પોપટ ઝૂને સોંપવામાં આવ્યા હોવાનો અહેવાલ
સર્કસમાંથી સિઝ કરાયેલા 2 હાથી જંગલ ખાતાને આપવામાં આવ્યા છે, જ્યારે અન્ય પ્રાણીઓ રાજકોટ ઝૂના હવાલે કરવામાં આવ્યા છે. ઉપરાંત રાજકોટ પોલીસ કમિશનરને સરકસને શો માટે આપવામાં આવેલું લાયસન્સ રદ કરવા માટે ભલામણ કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર