Home /News /gujarat /Rajkot: APMCમાં કેમ ખેડૂતો કરી રહ્યાં છે સફેદ તલની ચર્ચા, જાણો કેટલો ભાવ મળ્યો
Rajkot: APMCમાં કેમ ખેડૂતો કરી રહ્યાં છે સફેદ તલની ચર્ચા, જાણો કેટલો ભાવ મળ્યો
જાણો આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં શું છે કપાસ, મગફળી અને સોયાબીનના ભાવ
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં રોજે રોજ નવા પાકની આવક થઈ રહી છે. હાલમાં કપાસ, મગફળી, તલ, સોયાબીન અને લાલ સુકા મરતા સહિત અનેક પાકોની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે.એમાં પણ ખેડૂતોનેઅત્યારે પુરતા પ્રમાણમાં ભાવ મળી રહ્યો હોવાથી ખેડૂતો ખુશખુશાલ
Mustufa Lakdawala,Rajkot : રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં રોજે રોજ નવા પાકની આવક થઈ રહી છે. હાલમાં કપાસ, મગફળી, તલ, સોયાબીન અને લાલ સુકા મરતા સહિત અનેક પાકોની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે.એમાં પણ ખેડૂતોનેઅત્યારે પુરતા પ્રમાણમાં ભાવ મળી રહ્યો હોવાથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહ્યાં હોવાથી રોજ હજારો ખેડૂતો તેનો માલ વેચવા માટે આવી રહ્યાંછે. માર્કેટિંગ યાર્ડની બહાર વહેલી સવારે વાહનોની લાંબી લાઈનો પણ જોવા મળે છે. અહિંયા દુરદુરથી ખેડૂતો તેનો પાક વેંચવા માટે આવી રહ્યાં છે.
માર્કેટિંગ યાર્ડમાં તલના ભાવ ઓલ ટાઈમ હાઈ.
રાજકોટ માર્કેટ યાર્ડમાં સફેદ તલનો ભાવ ઓલ ટાઈમ હાઈ રહ્યો છે. આજે માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલનો ભાવ 3621 રૂપિયાબોલાયા હતા. તમને જણાવી દયે કે 14 વર્ષ પહેલા એટલે કે 2008માં 20 કિલોના 3300 રૂપિયા ઓલ ટાઈમ હાઈ ભાવનોંધાયો હતો. જે રેકોર્ડ બ્રેક ભાવ હતો.ત્યારે આજે તલનો ભાવ 3621 રૂપિયા બોલાયો હતો.
જાણો અન્ય પાકોના શું ભાવ બોલાયા.
માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 1800થી 1925 બોલાયા, ઘઉંનો ભાવ 500થી 600 રૂપિયા, મગફળીના ભાવ 1000થી1270 રૂપિયા, સોયાબીનના ભાવ 1000થી 1150 રૂપિયા, લાલ સુકા મરચાના ભાવ 2500થી 6400 રૂપિયા બોલાયો હતો. આમ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પુરતો ભાવ મળી રહ્યો હોવાથી અહિંયા મોરબી, સુરેન્દ્રનગર સહિત અનેક ગામોનાખેડૂતો પોતાનો માલ વેંચવા માટે અહિંયા આવી રહ્યાં છે.