Home /News /gujarat /INDvsSL: રાજકોટમાં રમાનાર T20 મેચમાં નહિ જોવા મળે વિરાટ, રોહિત અને KL રાહુલ, પણ આ ગુજરાતી ખેલાડીઓ રમશે

INDvsSL: રાજકોટમાં રમાનાર T20 મેચમાં નહિ જોવા મળે વિરાટ, રોહિત અને KL રાહુલ, પણ આ ગુજરાતી ખેલાડીઓ રમશે

cricket rohit sharma kohli lokesh rahul

Rajkot T20 Cricket Match: રાજકોટના પીપળીયા પાસે આવેલા ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે t20 મેચ રમાવવા જઈ રહી છે. ત્યારે આ મેચમાં વીરાટ કોહલી, લોકેશ રાહુલ અને રોહિત શર્મા નહીં રમે.

 INDIA VS SRILANKA RAJKOT: આગામી સાતમી જાન્યુઆરીના રોજ રાજકોટના પીપળીયા પાસે આવેલા ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે t20 મેચ રમાવવા જઈ રહ્યો છે. ત્યારે ભારત અને શ્રીલંકા વચ્ચે થનારી t20 મેચની શ્રેણી માટે ટીમ જાહેર થઈ ચૂકી છે. ટી ટ્વેન્ટી મેચની શ્રેણી માટે ભારતના કપ્તાન તરીકે હાર્દિક પંડ્યા ને જવાબદારી સોંપવામાં આવી છે.

t20 મેચમાં કે એલ રાહુલ, રોહિત શર્મા તેમજ વિરાટ કોહલી ને આરામ આપવામાં આવ્યો છે. ગઈકાલે જે ટીમની જાહેરાત કરવામાં આવી તેમાં ટી 20 ટીમ માટેના કપ્તાન તરીકે હાર્દિક પંડ્યા, વિકેટકીપર તરીકે ઈશાન કિશન, વાઇસ કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવ, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગીલ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમાર સહિતનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: David Warner: બેવડી સદીની ઉજવણીમાં ફોર્મમાં આવી ગયો ક્રિકેટર, ઇજાગ્રસ્ત થઈને મેદાન બહાર ગયો, જુઓ VIDEO

ઉલ્લેખનીય છે કે ત્રીજી જાન્યુઆરીથી ભારત અને શ્રીલંકા વચ્ચેની t20 શ્રેણીનો પ્રારંભ થવાનો છે. જે શ્રેણીનો એક મેચ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે પણ રમાવાનો છે. જે આગામી સાતમી જાન્યુઆરીના રોજ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાશે. બંને ટીમ રાજકોટ આવશે ત્યારે સંભવતઃ ટીમ શ્રીલંકાને હોટલ ફોર્ચ્યુન ખાતે ઉતારો આપવામાં આવશે. જ્યારે કે ટીમ ઇન્ડિયાને હોટલ સયાજી ખાતે ઉતારો આપવામાં આવશે. તેમજ મેચના આગલા દિવસે એટલે કે છઠ્ઠી જાન્યુઆરીના રોજ બંને ટીમ નેટ પ્રેક્ટિસ તેમજ એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજશે.

" isDesktop="true" id="1309569" >

ખંઢેરી સ્ટેડિયમ ખાતે અત્યાર સુધીમાં ટીમ ઇન્ડિયા ચાર જેટલા આંતરરાષ્ટ્રીય ટી ટ્વેન્ટી મેચ રમી ચૂક્યું છે. જે પૈકી ત્રણ મેચમાં ટીમ ઇન્ડિયા નો વિરોધી ટીમની સામે વિજય થયો છે. જ્યારે કે માત્ર એક જ મેચ ટીમ ઇન્ડિયા હાર્યું છે. આમ, અત્યાર સુધી આ મેચ પર ટીમ ઇન્ડિયા નું પલડું ભારે રહ્યું છે. તેમજ આ મેદાનની પીચ બેટિંગ પીચ હોવાનું પણ અત્યાર સુધીના રેકોર્ડમાં સામે આવ્યું છે.
Published by:Mayur Solanki
First published:

Tags: India vs Sri Lanka, T20 match, ક્રિકેટ, રાજકોટ

विज्ञापन