Home /News /gujarat /આનંદો! તલાટી-કમ-મંત્રીઓના ભથ્થામાં કરાયો નોંધપાત્ર વધારો, જાણો રૂપિયા 900ને બદલે હવે કેટલું મળશે માસિક ભથ્થું?

આનંદો! તલાટી-કમ-મંત્રીઓના ભથ્થામાં કરાયો નોંધપાત્ર વધારો, જાણો રૂપિયા 900ને બદલે હવે કેટલું મળશે માસિક ભથ્થું?

આનંદો! તલાટી-કમ-મંત્રીઓના ભથ્થામાં કરાયો નોંધપાત્ર વધારો

પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ હસ્તકના તલાટી-કમ-મંત્રીઓને અપાતા ભથ્થામાં નોધપાત્ર વધારો કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

Good News: રાજય સરકાર (Gujarat Government ) દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. તલાટી-કમ-મંત્રીઓના ભથ્થામાં નોધપાત્ર વધારો કરીને માસિક ખાસ ભથ્થું રૂ. 900/- ના બદલે રૂ.3000નું ખાસ ભથ્થું આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે (increase in allowance of Talati cum mantri). પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજા (Brijesh Merja) એ જણાવ્યું છે કે, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ હસ્તકના તલાટી-કમ-મંત્રીઓને અપાતા ભથ્થામાં નોધપાત્ર વધારો કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હવે થી તેમને અપાતા માસિક ખાસ ભથ્થા રૂ.900/- ના બદલે રૂ. 3000નું ખાસ ભથ્થું અપાશે.

મંત્રીએ ઉમેર્યું કે, કર્મચારીઓના હિતને વરેલી રાજય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગ્રામ કક્ષાએ વિવિધ વિકાસ યોજનાઓના અમલીકરણ અધિકારી તરીકે કામગીરી સંભાળતા તલાટી-કમ-મંત્રીઓના કામમાં વર્ષ 2012 પછી ગ્રામ કક્ષાએ રાજય સરકારની વિવિધ વિકાસ યોજનાઓના અમલીકરણ અધિકારી તરીકેની કામગીરીમાં વધારો થયો હોઈ આ મહત્વનો નિર્ણય કરાયો છે.



આ પણ વાંચો:  Gujarat Corona Update: રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાથી 3 દર્દીના મોત, જાણો કયા કેટલા કેસ નોંધાયા

તેમણે ઉમેર્યું કે,ગુજરાત રાજ્ય પંચાયત તલાટી મહામંડળની રજૂઆત પરત્વે હકારાત્મક અભિગમ દાખવીને તલાટી-કમ-મંત્રીઓને હાલમાં આપતા માસિક ખાસ ભથ્થું રૂ.900/- ના બદલે રૂ. 3000 નું ખાસ ભથ્થું અપાશે. આ ખાસ ભથ્થાની ગણતરી પેન્શનના હેતુ માટે કરવામાં આવશે નહિ.

આ પણ વાંચો:  પીએમ મોદીનું સપનું સાકાર: સાબરમતી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબની વિશેષતા જાણી તમે દંગ રહી જશો

આ નિર્ણયનો અમલ તા. 13-09-2022 થી કરવામાં આવશે. રાજ્ય સ૨કા૨ના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ફરજ બજાવતા તમામ તલાટી-કમ-મંત્રીઓને આ નિર્ણય લાગુ પડશે તેમ તેમણે ઉમેર્યું હતું.
First published:

Tags: Revenue talati, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો