યાત્રાળુએ આ યોજનાનો લાભ લેવા, યાત્રાળુ દિઠ આધારકાર્ડની ઝેરોક્ષ રજૂ કરવાની રહેશે.
ગુજરાત રાજ્યના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાઓમાંથી “શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'ના આ પાંચેય દિવસો દરમિયાન અંબાજી દર્શન માટે આજે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એક વિશેષ પરિપત્ર કરવામા આવ્યો છે
ગાંધીનગર: પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાળુઓના લાભાર્થે એક મહત્ત્વનો નિર્ણય લેવામા આવ્યો છે. તા.12/02/2023 થી તા.16/02/2023 દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાનાં આવેલા યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ” યોજાનાર છે.
તા.12/02/2023 થી તા.16/02/2023 દરમિયાન અંબાજી માતા, ગબ્બર તથા 51 શક્તિપીઠની પરિક્રમાના દર્શન કરવાના લહાવો ગુજરાતના નાગરીકો લઈ શકે તે હેતુથી “અંબાજી દર્શન” નું આયોજન કરવાની બાબત વિચારણા હેઠળ હતી.
જેના અનુસંધાને ગુજરાત રાજ્યના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાઓમાંથી “શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'ના આ પાંચેય દિવસો દરમિયાન અંબાજી દર્શન માટે આજે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એક વિશેષ પરિપત્ર કરવામા આવ્યો છે જે અનુસાર જે યાત્રાળુની ઉંમર 12 વર્ષ અથવા વધુ હોઇ, તે તમામને આ યોજના હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.
5- કયા જિલ્લાએ કેટલી બસ ફાળવવી એ સબંધિત જિલ્લાના કલેક્ટરે મુખ્ય પરિવહન અધિકારી સાથે પરામર્શમાં રહી નકકી કરવાનુ રહેશે
6- બસ ઉપાડવાનો પોઇન્ટ, સ્થળ અને સમય તથા અંબાજીથી પરત આવવવાનો પોઇન્ટ, સ્થળ અને સમય સબંધિત જિલ્લા કલેક્ટરે વાહન વ્યવહારની કચેરી તથા કલેકટરબનાસકાંઠાના પરામર્શમાં રહીને નકકી કરવાનો રહેશે.
આ સુધારેલ યોજના માત્ર તા.12/02/2023 થી તા.16/02/2023 દરમ્યાન જ અમલી રહેશે તેવું પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મા જણાવાયુ છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર