Home /News /gujarat /Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 4ના મોત, જાણો આજે કયા કેટલા કેસ?

Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 4ના મોત, જાણો આજે કયા કેટલા કેસ?

Gujarat covid-19 case latest update: ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 10 ઓગસ્ટ 2022 રવિવારના રોજ રાજ્યમાં નવા 678 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 189 નોંધાઇ છે. જોકે આજે રાજ્યમાં કોરોનાથી કુલ 4 દર્દીઓના મોત નિપજ્યા છે.

Gujarat covid-19 case latest update: ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 10 ઓગસ્ટ 2022 રવિવારના રોજ રાજ્યમાં નવા 678 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 189 નોંધાઇ છે. જોકે આજે રાજ્યમાં કોરોનાથી કુલ 4 દર્દીઓના મોત નિપજ્યા છે.

વધુ જુઓ ...
Gujarat corona update: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 678 કોરોના કેસ (Gujarat Corona Case) નોંધાયા છે. બીજી તરફ 1082 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.71 ટકા નોંધાયો છે.

ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 10 ઓગસ્ટ 2022 રવિવારના રોજ રાજ્યમાં નવા 678 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 189 નોંધાઇ છે. જોકે આજે રાજ્યમાં કોરોનાથી કુલ 4 દર્દીઓના મોત નિપજ્યા છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10985 પર પહોંચી ગયો છે.

રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 189, વડોદરા કોર્પોરેશન 61, ગાંધીનગર 41, મહેસાણા 23, વડોદરા 33, સુરત કોર્પોરેશન 35, રાજકોટ કોર્પોરેશન 26, અમરેલી 26, સુરત 22, રાજકોટ 24, ગાંધીનગર કોર્પોરેશન 28, કચ્છ 17, સાબરકાંઠા 17, ભરૂચ 15, નવસારી 13, પંચમહાલ 10, વલસાડ 9, પોરબંદર 8, જામનગર કોર્પોરેશન 7, ભાવનગર કોર્પોરેશન 6, ખેડા 6, આણંદ 4, અરવલ્લી 3, મહિસાગર 3, ગીર સોમનાથ 2, પાટણ 2, તો દાહોદ, સુરેન્દ્રનગર અને તાપીમાં 1-1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 5321 એક્ટીવ કેસ છે, જે પૈકી 12 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 5321 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,46,992 પર પહોંચી ગયો છે. ત્યાં જ રાજ્યમાં મૃત્યુઆંક 10985 પર પહોંચી ગયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,93,177 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 11,91,15,910 લોકોનું રસીકરણ થયું છે.
First published:

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો