Home /News /gujarat /General Election 2024: લોકસભાની ચૂંટણીના વર્ષ પહેલા જ ગુજરાત ભાજપે ધારાસભ્યોને કામે લગાડ્યા
General Election 2024: લોકસભાની ચૂંટણીના વર્ષ પહેલા જ ગુજરાત ભાજપે ધારાસભ્યોને કામે લગાડ્યા
ગુજરાત ભાજપના ધારાસભ્યોને મહત્વની જવાબદારી સોંપાઈ
Gujarat BJP: ભાજપ દ્વારા ચૂંટણીની કામગીરી દરમિયાન તબક્કાવાર ખાસ કાળજી રાખવામાં આવતી હોય છે. લોકસભાની ચૂંટણીને વર્ષનો સમય બાકી છે પરંતુ ધારાસભ્યોને મહત્વનું કામ સોંપી દેવામાં આવ્યું છે.
ગાંધીનગરઃ ભાજપની ચૂંટણી પહેલાની અને ચૂંટણી સમયની રણનીતિ ભારે ચર્ચામાં રહેતી હોય છે. બૂથ લેવલ મજબૂત બનાવવાથી લઈને ઉમેદવારની પસંદગી સુધીના તમામ પાસાઓ પર બારીકાઈથી કામ કરવામાં આવતું હોય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે પણ વિરોધીઓ પ્લાનિંગ કરી રહી હતી ત્યાં ભાજપે વિવિધ કામગીરી આરંભી દીધી હતી. હવે આગામી સમયમાં વર્ષ 2024માં આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલા પણ ભાજપે ગુજરાતથી પોતાના 26એ 26 સાંસદોને દિલ્હી પહોંચાડવા માટેની કામગીરી આરંભી દીધી છે. આ માટે ધારાસભ્યોને સ્પેશિયલ ટાસ્ક આપીને મહત્વની સૂચના આપી દેવામાં આવી છે.
લોકસભાની ચૂંટણી વર્ષ 2024માં આવશે અને હજુ તેને એક વર્ષ કરતા વધુનો સમય બાકી છે, પરંતુ અત્યારથી જ ભાજપ દ્વારા પોતાના ધારાસભ્યોને ચૂંટણીલક્ષી કામગીરીનો પ્રારંભ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. ભાજપની આ અંગે યોજાયેલી બેઠકમાં ધારાસભ્યોને સ્પેશિયલ ટાસ્કની સોપણી કરવામાં આવી છે.
ધારાસભ્યોને મોબાઈલ એપ્લિકેશન દ્વારા મતદારોનો સંપર્ક કરવાની સૂચના આપી દેવામાં આવી છે. બેઠક દરમિયાન મોબાઈલ એપ્લિકેશનની પ્રચાર-પ્રસારની રણનીતિથી ધારાસભ્યોને અવગત કરાવવામાં આવ્યા છે. સરકારી યોજનાઓના લાભાર્થીઓનો સંપર્ક કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે.
પોતાના વિધાનસભા ક્ષેત્રમાં આવતા મતવિસ્તારના મતદાતાઓનો ડેટાબેઝ અને સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરવાનો ટાસ્ક સોંપવામાં આવ્યો છે. ગુરુવારે વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ, સંગઠનમંત્રી રત્નાકર હાજર રહ્યા હતા. સીએમ, અધ્યક્ષ અને સંગઠનમંત્રીની હાજરીમાં ધારાસભ્યોને લોકસભા ચૂંટણી પહેલા મહત્વનો ટાસ્ક સોંપાયો છે.
ભારત ડિસેમ્બર 2022થી એક વર્ષના સમયગાળા માટે G20 ગ્લોબલ ફોરમનું પ્રમુખપદ સંભાળી રહ્યું છે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ECSWGની બેઠક યોજાશે, ગુજરાત સરકારે પણ આ માટે પ્રયાસો કર્યા...#news18gujaratino1#gujaratpic.twitter.com/ureiAZcSU8
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને આ દરમિયાન તેઓ રોડ શો કરશે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 17 એપ્રિલ વડાપ્રધાન સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે, જ્યાં તેઓ તમિલ સંગમનો પ્રારંભ કરાવશે. આ દરમિયાન તેઓ સોમનાથ દાદાના દર્શન કરવા જશે તેવી માહિતી પણ મળી રહી છે.