Home /News /gujarat /કેજરીવાલે દિલ્હીમાં નવેમ્બરમાં કૃષિ કાયદા લાગુ કર્યા, હવે કરી રહ્યા છે વિરોધ- રવિશંકર પ્રસાદ

કેજરીવાલે દિલ્હીમાં નવેમ્બરમાં કૃષિ કાયદા લાગુ કર્યા, હવે કરી રહ્યા છે વિરોધ- રવિશંકર પ્રસાદ

કૃષિ કાયદા પર રવિશંકર પ્રસાદે કહ્યું, અમે એ જ કરી રહ્યા છીએ જે UPA સરકાર કરવા માંગતી હતી, સાબિત કરી શકું છું

કૃષિ કાયદા પર રવિશંકર પ્રસાદે કહ્યું, અમે એ જ કરી રહ્યા છીએ જે UPA સરકાર કરવા માંગતી હતી, સાબિત કરી શકું છું

નવી દિલ્હીઃ કૃષિ કાયદાઓને લઈ ખેડૂતોનો આંદોલન (Farmers Protest) ચાલી રહ્યું છે અને આવતીકાલે મંગળવારે ભારત બંધ (Bharat Bandh)નું એલાન આપવામાં આવ્યું છે. આ દરમિયાન બીજેપી (BJP)એ વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ (Ravi Shankar Prasad)એ કહ્યું છે કે ખેડૂત આંદોલનમાં વિપક્ષી પાર્ટીઓ પણ કૂદી પડી છે. તેઓ એક પછી એક ચૂંટણીઓ હારી રહ્યા છે. તેથી સરકારના વિરોધમાં ઊભા થઈ જાય છે અને પોતાના અતીતને ભૂલીને પોતે આપેલા વાયદા પણ ભૂલી જાય છે.

રવિશંકર પ્રસાદે કહ્યું કે, કૉંગ્રેસ 2014ના મેનિફેસ્ટોમાં વાયદો કર્યો હતો કે APMC એક્ટ ખતમ કરશે. 2014માં કૉંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં અંગ્રેજીમાં લખ્યું છે કે APMC એક્ટને Repeal કરશે અને હિન્દીમાં લખ્યું કે અમે આ કાયદામાં સંશોધન કરીશું, જે અમે કરી રહ્યા છીએ.

આ પણ વાંચો, Central Vista પ્રોજેક્ટમાં વૃક્ષો કાપવા, ઈમારત તોડવા પર રોક, PMના કાર્યક્રમને મળી સુપ્રીમ કોર્ટની મંજૂરી

વિપક્ષ પર રવિશંકરના આક્ષેપ

રવિશંકર પ્રસાદે વિપક્ષ પર નિશાન સાધતા વધુમાં કહ્યું કે, ખેડૂત આંદોલનના નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે રાજકીય લોકો અમારા મંચ પર નહીં આવે. અમે તેમની ભાવનાઓનું સન્માન કરીએ છીએ. પરંતુ વિપક્ષી પાર્ટીઓ કૂદી પડી છે, કારણ કે તેમને બીજેપી અને નરેન્દ્ર મોદીજીનો વિરોધ કરવાની વધુ એક તક મળી રહી છે.

આ પણ વાંચો, દિલ્હી પોલીસે એન્કાઉન્ટર બાદ 5 સંદિગ્ધ આતંકીઓને ઝડપ્યા, 3 કાશ્મીરી અને બેનો પંજાબ સાથે સંબંધ

ખેડૂતોને મામલે કેજરીવાલનું બેવડું વલણ- રવિશંકર પ્રસાદ

રવિશંકર પ્રસાદે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખેડૂતોને આપેલા સમર્થન પર સવાલ ઉઠાવ્યા છે. કેજરીવાલે ખેડૂતોને લઈને બેવડુ વલણ અપનાવ્યું હોવાનો તેમણે ગંભીર આરોપ મૂક્યો છે. પ્રસાદે કહ્યું કે, કેજરીવાલની સરકારે 23 નવેમ્બર 2020ના રોજ નવા કાયદા (કૃષિ કાયદા)ને નોટિફાય કરીને દિલ્હીમાં લાગુ કરી દીધા છે. બીજી તરફ તમે વિરોધ કરી રહ્યા છો અને બીજી તરફ તમે ગેઝેટ બહાર પાડી રહ્યા છો.
First published:

Tags: Farmer Protest, Ravi shankar prasad, અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસ, દિલ્હી, ભાજપ

विज्ञापन