Home /News /gujarat /આગામી 30 સપ્ટેમ્બરથી ભાજપની જન આશીર્વાદ યાત્રા, જાણો કયા મંત્રી કયા વિસ્તારમાં જશે?

આગામી 30 સપ્ટેમ્બરથી ભાજપની જન આશીર્વાદ યાત્રા, જાણો કયા મંત્રી કયા વિસ્તારમાં જશે?

બીજેપી કાર્યાલય

Jan Ashirwad Yatra- . સરકારની વિવિધ યોજનાઓનો (government schemes)લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ભાજપ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે

ગાંધીનગર : ગુજરાતમાં 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી (Gujarat Vidhan Sabha Elections 2022) આડે હવે માંડ સવા વર્ષનો સમય બાકી છે ત્યારે ભાજપ (BJP)ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં (Gujarat)નવી સરકાર રચાઈ ગયા બાદ હવે નવા 24 મંત્રીઓ 30મી સપ્ટેમ્બરથી જન આશીર્વાદ યાત્રા (Jan Ashirwad Yatra )શરૂ કરી રહ્યા છે .જે 7 મી ઓક્ટોબર સુધી ચાલશે. સરકારની વિવિધ યોજનાઓનો (government schemes)લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ભાજપ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે પણ સાચી વાત તો એ છે કે રાજ્યમાં નવી સરકાર રચાયા પછી લોકોમાં ગુસ્સો છે કે કેમ તેની નાડ પારખવા માટે આ યાત્રાનું આયોજન કરાયું છે. સાથે સાથે સાવ નવોદિત મંત્રીઓથી પ્રજા પણ પરિચિત થાય તે માટે આ યાત્રાનું આયોજન છે.

વિધાનસભાનું બે દિવસીય ચોમાસુ સત્ર પૂરું થયા બાદ હવે 24 મંત્રીઓને સોંપવામાં આવેલા જિલ્લામાં જન આશીર્વાદ યાત્રા લઈને જશે અને જનતાના આશીર્વાદ લેવાની સાથે સાથે જનતાનો મૂડ પણ પારખવાની કોશિશ કરશે. 2022માં ગુજરાતનો કિલ્લો જીતવા માટે ભાજપે હવે કમર કસી છે. ગુજરાતમાં નવી સરકાર રચાઈ ગયા બાદ મુખ્યમંત્રી સહીત 24 મંત્રીઓ એક્શનમાં આવી ચૂક્યા છે અને જનતાને કોઈ અગવડ ન પડે તેમજ સમસ્યાનું તાકીદે નિરાકરણ આવે તે દિશામાં કામગીરી હવે શરુ કરી છે.

નવા મંત્રીઓને હાઈકમાન્ડે પણ કડક આદેશ આપી દીધો છે કે સવા વર્ષમાં પર્ફોમન્સ પર ધ્યાન આપજો અને 2022માં ગુજરાતમાં સત્તા કબજે કરવી એ જ અગ્રિમતા છે.

આ પણ વાંચો- 'ગુલાબ' પછી 'શાહીન' મચાવશે કહેર, ગુજરાતના દરિયાઇ વિસ્તારોમાં ભારે પવન સાથે આવશે વરસાદ

કયા મંત્રીઓ ક્યારે , કયા જિલ્લામાં જશે

- રાજેન્દ્ર ત્રિવેદી -30 સપ્ટેમ્બર - ખેડા , 1 - ઓક્ટોબર - વડોદરા જિલ્લો , 2 - ઓક્ટોબર - વડોદરા શહેર (રાવપુરા અને સયાજીગંજ વિધાનસભા )

- જીતુ વાઘાણી - 3 - ઓક્ટોબર - ભાવનગર પશ્ચિમ , 7 - ઓક્ટોબર રાજકોટ જિલ્લો , 8 ઓક્ટોબર - રાજકોટ શહેર

- ઋષિકેશ પટેલ- 3 - ઓક્ટોબર વિસનગર , 7 ઓક્ટોબર ગાંધીનગર જિલ્લો , 8 ઓક્ટોબર અમદાવાદ જિલ્લો

- પૂર્ણેશ મોદી - 2 ઓક્ટોબર સુરત પશ્ચિમ , 7 ઓક્ટોબર ભરૂચ , 8 ઓક્ટોબર - નર્મદા

- રાઘવજી પટેલ -3 ઓક્ટોબર જામનગર ગ્રામ્ય , 7 ઓક્ટોબર દેવભૂમિ દ્વારકા , 8 - ઓક્ટોબર જૂનાગઢ શહેર

- કનુભાઈ દેસાઈ- 7 ઓક્ટોબર નવસારી , 8 ઓક્ટોબર સુરત શહેર , 9 ઓક્ટોબર - પારડી

- કિરીટસિંહ રાણા- 3 ઓક્ટોબર લીમડી , 7 ઓક્ટોબર જામનગર જિલ્લો , 8 ઓક્ટોબર જામનગર શહેર

- નરેશ પટેલ- 30 સપ્ટેમ્બર - સુરત જિલ્લો , 1 ઓક્ટોબર વલસાડ , 2 ઓક્ટોબર - નવસારી

- પ્રદીપસિંહ પરમાર -7 ઓક્ટોબર બનાસકાંઠા , 8 ઓક્ટોબર કચ્છ , 10 ઓક્ટોબર - અસારવા

- અર્જુનસિંહ ચૌહાણ -3 ઓક્ટોબર મહેમદાવાદ , 7 ઓક્ટોબર આણંદ , 8 ઓક્ટોબર પંચમહાલ

- હર્ષ સંઘવી -3 ઓક્ટોબર મજુરા , 7 ઓક્ટોબર વડોદરા શહેર ( અકોટા વિધાનસભા ) , 8 ઓક્ટોબર કર્ણાવતી શહેર

- જગદીશ પંચાલ -7 ઓક્ટોબર ખેડા , 8 ઓક્ટોબર ગાંધીનગર જિલ્લો - ગાંધીનગર શહેર , 9 ઓક્ટોબર નિકોલ

- બ્રિજેશ મિરઝા- 3 ઓક્ટોબર મોરબી , 7 ઓક્ટોબર પોરબંદર , 8 ઓક્ટોબર સુરેન્દ્રનગર

- જીતુ ચૌધરી- 30 સપ્ટેમ્બર તાપી , 1 ઓક્ટોબર સુરત જિલ્લો , 2 ઓક્ટોબર ડાંગ , 3 ઓક્ટોબર કપરાડા

- મનીષા વકીલ- 30 સપ્ટેમ્બર મહીસાગર , 1 ઓક્ટોબર આણંદ , 2 ઓક્ટોબર - વડોદરા શહેર ( વાડી શહેર , માંજલપુર )

- મુકેશ પટેલ- 3 ઓક્ટોબર - ઓલપાડ , ૭ ઓક્ટોબર વલસાડ , ૮ ઓક્ટોબર નવસારી

- નિમીષા સુથાર- 30 સપ્ટેમ્બર છોટા ઉદેપુર ,1 ઓક્ટોબર પંચમહાલ , 2 ઓક્ટોબર મોરવા હડફ

- અરવિંદ રૈયાણી- 3 ઓક્ટોબર - રાજકોટ પૂર્વ , 7 ઓક્ટોબર મોરબી , 8 ઓક્ટોબર બોટાદ

- ડો.કુબેર ડીડોર- 30 સપ્ટેમ્બર અરવલ્લી , 1 ઓક્ટોબર દાહોદ સંતરામપુર

- કીર્તિસિંહ વાઘેલા- 30 સપ્ટેમ્બર સાબરકાંઠા , 1 ઓક્ટોબર નવસારી

- ગજેન્દ્રસિંહ પરમાર - 30 સપ્ટેમ્બર પાટણ , 1 ઓક્ટોબર બનાસકાંઠા , 2 ઓક્ટોબર પ્રાંતિજ

- રાઘવજી મકવાણા- 30 સપ્ટેમ્બર જૂનાગઢ જિલ્લો , 1 ઓક્ટોબર ગીર સોમનાથ , 2 ઓક્ટોબર અમરેલી

- વિનોદ મોરડીયા -30 સપ્ટેમ્બર ભાવનગર જિલ્લો , 1 ઓક્ટોબર બોટાદ , 2 ઓક્ટોબર કતાગામ ( સુરત )

- દેવાભાઈ માલમ -30 સપ્ટેમ્બર અમદાવાદ જિલ્લો , 1 ઓક્ટોબર ભાવનગર જિલ્લો , 2 ઓક્ટોબર સુરેન્દ્રનગર
Published by:Ashish Goyal
First published:

Tags: Gujarat Vidhansabha Elections 2022, Jan Ashirwad Yatra, ગુજરાત, ભાજપ