ગાંધીનગર: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં H3N2 ની પરિસ્થિતી વિશે જણાવ્યું છે કે, આ વાયરસની ગંભીરતાને કોરોના સાથે સરખાવવાની જરૂર નથી. H3N2 સીઝનલ ફ્લુની સારવાર વર્ષોથી રાજ્ય અને દેશમાં ઉપલબ્ધ છે.
આ રોગથી સંક્રમિત દર્દીની સારવાર માટેની ઓસ્લેટામાવીર દવા કારગત સાબિત થાય છે. જેનો 2,74,400 જેટલો જથ્થો રાજ્યના વેરહાઉસ ખાતે ઉપલબ્ધ છે. રાજ્યમાં 111 સરકારી લેબ અને 60 ખાનગી લેબમાં હાલ H1N1 સીઝનલ ફ્લુના ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ છે. વધુમા જરૂર જણાયે કુલ 200 થી વધુ લેબમાં ટેસ્ટીંગ સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય તે પ્રકારનું સરકારે આયોજન હાથ ધર્યું છે.
મંત્રીએ વધુમાં કહ્યું હતુ કે, ઇન્ફ્લુએન્ઝા-એ પોઝીટીવ અન H1N1 પોઝીટીવ આવે ત્યારે તે દર્દીન H1N1 પોઝીટીવ ગણવામાં આવે છે. જ્યારે ઇન્ફ્લુએન્ઝા-એ પોઝીટીવ હોય અને H1N1 નેગેટીવ હોય ત્યારે દર્દીને H3N2 શંકાસ્પદ પોઝીટીવ ગણીને સારવાર હાથ ધરવામાં આવે છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું છે કે, રાજ્યમાં છેલ્લા ત્રણ મહિનામાં જ્યમાં H1N1 ના 80 અને H3N2 સીઝનલ ફ્લુના 06 કેસોનો નોંધાયા છે. H3N2 સીઝનલ ફ્લુના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. H3N2 ઇન્ફ્લુએન્ઝાથી ગભરાવવાની જરૂર નથી. કોરોના સાથે આ વાયરસના સંક્રમણની સરખામણી ન કરવા મંત્રીએ અનુરોધ કર્યો છે.
કેટેગરી- એનાં તમામ લક્ષણો ઉપરાંત ભારે તાવ અને ગળામાં સખત દુખાવો અને ખાંસી
કેટેગરી- B2
કેટેગરી-Aનાં તમામ લક્ષણો ઉપરાંત હાઇ રીસ્ક સ્થિતિ
ઉંમર 65 વર્ષથી વધુ ગર્ભાવસ્થા 5 વર્ષથી નાની વયના બાળકો શ્વસનતંત્રની બીમારી લાંબાગાળાનાં હૃદય, કિડની, લીવર અને કેન્સરની બીમારી ધરાવતા દર્દી ડાયાબિટીસ ના દર્દી એચઆઇવી/એઇડ્સ
કેટેગરી - B ના લક્ષણોમાં શું કરવું ?
ઓસેલ્ટામિવીર આપવાની હોય છે. આઈસોલેશનમાં રહેવાનું. અન્ય વ્યક્તિઓનો સંપર્ક ટાળવો સિઝનલ ફ્લુ પરીક્ષણની જરૂરી નથી.
કેટેગરી-C
કેટેગરી-A અને B ના લક્ષણો ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અથવા ગભરામણ, ગળફામાં લોહી પડવું અથવા બી.પી ઘટી જવું, ન્યુમોનીયાની અસર
કેટેગરી - C ના લક્ષણોમાં શું કરવું ?
હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી સિઝનલ ફ્લુ પરીક્ષણ કરાવવું જરૂરી ઓસેલ્ટામિવીર આપવાની હોય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર