અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદ અને સુરત સહિત ઘણા શહેરોમાં પણ પરિસ્થિતિ ખૂબ જ વિકટ થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં શનિવાર અને રવિવાર એમ સપ્તાહમાં બે દિવસ પાનના ગલ્લા બંધ રાખવાનો એસોસિએશને જાહેરાત કરી હતી. બીજી તરફ AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમો શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ફરીને પાનના ગલ્લા તેમજ ચાની કિટલીઓ બંધ કરાવી રહી છે.
અમદાવાદમાં પાનના ગલ્લાઓ અને ચાની કીટલીઓ ક્યાં સુધી બંધ રહેશે તે અંગે એએમસી દ્વારા હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એએમસીના મતે શનિવાર અને રવિવાર બાદ પણ પાનના ગલ્લાઓ અને ચાની કીટલીઓ બંધ રહી શકે છે.
કોરોના વાયરસના (coronavirus) સંક્રમણના પગલે હવે ગાંધીનગર (Gandhinagar Municipal Elections) મનપાની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં આ ચૂંટણી આગામી 18મી એપ્રિલના રોજ યોજાનારી હતી. આ ચૂંટણી મોકૂફ રાખવાની રજુઆત મુખ્યમંત્રી અને કૉંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર