Home /News /gir-somnath /ચૂંટણી પંચ દ્વારા સીદી સમાજના મતદારો માટે કરાઈ વિશેષ વ્યવસ્થા, જાણો કયાંથી આવ્યા આ લોકો?

ચૂંટણી પંચ દ્વારા સીદી સમાજના મતદારો માટે કરાઈ વિશેષ વ્યવસ્થા, જાણો કયાંથી આવ્યા આ લોકો?

સીદી સમાજના મતદારો માટે કરાઈ વિશેષ વ્યવસ્થા

Jambur village: ગીર સોમનાથ જિલ્લામાં વસતા 3,481 સીદી સમાજના મતદારો માટે ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણી પંચ દ્વારા ત્રણ અલાયદા મતદાન બુથ તૈયાર કરવામાં આવશે. અંદાજે 15મી સદીમાં જૂનાગઢના તત્કાલીન નવાબે ઉપરકોટનો કિલ્લો બંધાવવા માટે મજબૂત ગુલામો તરીકે આફ્રિકાથી આફ્રિકા મૂળના અશ્વૈત લોકોને લાવ્યા હતા.

વધુ જુઓ ...
    દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લામાં વસતા 3,481 સીદી સમાજના મતદારો માટે ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણી પંચ દ્વારા ત્રણ અલાયદા મતદાન બુથ તૈયાર કરવામાં આવશે. આ બુથો વિવિધતામાં એકતા અને ભારતીય લોકશાહીની શક્તિના સાક્ષી આપનાર બનશે. સદીઓ પહેલા જૂનાગઢના નવાબ દ્વારા મજૂરી કામ માટે ગુલામ તરીકે લવાયેલા આફ્રિકન પ્રજાતિના લોકો વર્ષો બાદ હવે પૂર્ણતઃ ભારતીય બન્યા છે. ભાષા અને રહેણી કહેણીથી લઈને મતાધિકાર સુધી ભારતીય તેઓની રગેરગમાં જલકે છે. ત્યારે હવે સૌ પ્રથમ વખત તેઓ મતદાન આપી શકવાના છે.

    જાણો ગીરના ખોળે આવેલા જાંબુર ગામની વાત


    આ તસવીરો કોઈ આફ્રિકાની નથી પરંતુ ગીરના ખોળે આવેલા જાંબુર ગામની છે. જ્યાં અંદાજે 15મી સદી બાદ જૂનાગઢના તત્કાલીન નવાબે ઉપરકોટનો કિલ્લો બંધાવવા માટે મજબૂત ગુલામો તરીકે આફ્રિકાથી આફ્રિકા મૂળના અશ્વૈત લોકોને લાવ્યા હતા. ઉપરકોટના કપરા ચઢાણમાં પણ આફ્રિકન પ્રજાતિના આ લોકોએ કોઈપણ યાંત્રિક મદદ વગર અનેક ટનનો વજન ચડાવ્યો હતો. કિલ્લાનું કામ પૂર્ણ થયા બાદ આ ગુલામોથી છુટકારો મેળવવા માટે નવાબે તેઓને ગીર જંગલની મધ્યમાં જાંબુર નામનું નાનું એવું ગામ આપ્યું. વિચાર એવો હતો કે સિંહો આ પ્રજાતિને ખાઈ અને ખતમ કરી દેશે.

    આ પણ વાંચો: ગુજરાતમાં આ જગ્યાએ કરવામાં આવશે વિશિષ્ઠ મતદાન મથકની વ્યવસ્થા, જાણો સંપૂર્ણ વિગત

    સીદી સમાજ ગુજરાતની અસ્મિતાનો અભિન્ન અંગ


    કહેવાય છે કે રામ રાખે એને કોણ ચાખે‘આફ્રિકામાં સિંહો સાથે ઉછરેલી આ પ્રજાતિ એશિયાઈ સિંહોને જોઈને વધુ ઉત્સાહિત થઈ તેમને થયું કે પોતે વતન પહોંચી ગયા. આ રીતે સદીઓથી તેઓ ગીરના જાંબુર ગામમાં વસ્યા છે. સિંહ સાથે સહઅસ્તિત્વ ધરાવું એસીબી સમુદાઈએ વિશ્વને શીખવ્યું છે. આજે સીદી સમાજે ગુજરાતની અસ્મિતાનો અભિન્ન અંગ બની ગયા છે. દેશ વિદેશમાંથી આવતા મહેમાનો આફ્રિકી ભારતીય સીદી સમાજનું ધમાલ નૃત્ય જોવાનું અચૂક પસંદ કરે છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા પણ ગુજરાતના અભિન્ન અંગ પરંતુ ભૃપૃષ્ઠ અને લાક્ષણિકતાની દ્રષ્ટિએ આ વિશિષ્ટ પ્રજાતિને ચૂંટણી પ્રક્રિયામાં વિશેષ સન્માન આપ્યું છે.


    3,481 સીદી સમાજના મતદારો માટે વિશેષ વ્યવસ્થા


    ઉલ્લેખનીય છે કે, સીધી સમુદાય માટે જાંબુર અને માધુપુર ગામે ત્રણ વિશેષ બુથ તૈયાર કરવામાં આવશે. જેમાં કુલ 3,481 સીદી સમાજના મતદારો પોતાના માટે ખાસ બનેલા બૂથમાં મતદાન કરશે અને પોતાની ભારતીયતાનો ગૌરવ લેશે. મહાત્મા ગાંધી સાઉથ આફ્રિકામાં ભણ્યા અને બેરિસ્ટર તરીકે ત્યાં સેવા પણ આપી. પણ પોતાનો પ્રથમ સત્યાગ્રહ અને પ્રથમ આશ્રમ પણ ગાંધીજીએ સાઉથ આફ્રિકામાં કર્યા હતા. ભારત અને આફ્રિકાની મિત્રતા તેમજ મહાત્મા ગાંધીની સ્મૃતિ સ્વરૂપે ગીર ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ વિશેષ બુથ બનાવવામાં આવશે. આ લોકશાહીની સુંદરતા અને વૈવિધ્યતાના ઉદાહરણ રૂપ બનશે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Gujarat Elections, ગીર સોમનાથ, મતદારો