ગીર સોમનાથ: પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત પરિવારોને વાર્ષિક 6000 ની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. કેન્દ્ર સરકારની વર્તમાન સૂચના અનુસાર આ યોજનામાં સમાવિસ્ટ તમામ લાભાર્થીઓને ફરજીયાત આધાર ઈ-કે.વાય.સી. પૂર્ણ કરવાનું રહશે. જે ખેડૂતોને ઈ-કે.વાય.સી.અને આધાર સીડેડ નહી કરાવ્યું હોય તેમને હવે પછીથી સહાયના હપ્તા સરકાર તરફથી બેંક ખાતામાં જમા કરવામાં આવશે નહી.
ગીર સોમનાથ જિલ્લામાં 42000 ખેડૂતોને ઇ-કે.વાય.સી. કરવાનું બાકી છે. આથી તેમને આગામી 13 મો હપ્તો નહિ મળી શકે. જે ખેડૂતોને ઈ-કે.વાય.સી. કરવાનું બાકી હોય તેઓએ તાત્કાલિક ધોરણે બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન સુવિધા ધરાવતા કોમન સર્વિસ સેન્ટર અને ઈ-ગ્રામ કેન્દ્રમાં જઇ કરાવી શકાશે અને તે માટે 15 ની ફી ચુકવવાની રહશે.
આ ઉપરાંત મોબાઈલ ફોન પર ઓટીપી બેઝડ ઈ-કે.વાય.સી. પણ કરી શકાશે. લાભાર્થીઓ પોસ્ટ ઓફીસ ખાતેથી પણ ઇ-કે.વાય.સી. અને આધારકાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરી શકશે. લાભાર્થી આધાર સીડેડ અને ઈ-કે.વાય.સી. કરાવેલ બેંક ખાતામાં જ સરકાર દ્વારા સહાય જમા કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે ગ્રામસેવકનો સંપર્ક સાધવો એમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત ગીર સોમનાથની એક યાદીમાં જણાવ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર