ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 27 અને 28મી મેએ દિલ્હીના પ્રવાસે જશે. તેઓ નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં હાજરી આપશે. તે ઉપરાંત તેઓ નવા સંસદ ભવનના ઉદ્ઘાટનમાં પણ ઉપસ્થિત રહેશે.
ગાંધીનગર: 28મી મે, રવિવારે સવારે નવા સંસદભવનનું ઉદ્ઘાટન થવાનું છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 27 અને 28મીમેએ દિલ્હીના પ્રવાસે જશે. તેઓ નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં હાજરી આપશે. તે ઉપરાંત તેઓ નવા સંસદ ભવનના ઉદ્ઘાટનમાં પણ ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વિપક્ષી દળો પર આકરા પ્રહાર
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિપક્ષી દળો પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, નવા સસંદ ભવનનો વિરોધ દેશના 140 કરોડ ભારતીઓનું અપમાન સમાન છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કુલ 19 વિપક્ષી દળો દ્વારા નવા સંસદ ભવનનું લોકાર્પણનો બહિષ્કાર કરવામાં આવ્યો છે તે નિંદનીય છે. આગામી 28મી મેના રોજ રવિવારના રોજ સંસદભવનું લોકાર્પણ નિશ્ચિત છે. તેમનો વિરોધ એ દેશના મહાન લોકતાંત્રિક મુલ્યો અને સંવિધાનિક માન્યતાઓ ઉપર હુમલો છે. લોકતંત્રમાં સંસદ એક પવિત્ર સંસ્થા છે. લોકોના હ્રદયના ધબકારના સમાન છે. અહીં દેશની નીતિઓ ઉપર નિર્ણય થાય છે. જેનાથી લોકોના જીવનમાં બદલાવ આવે છે. પાછલા 9 વર્ષના જોઇએ તો વિપક્ષી દળોએ વારંવાર સંસદીય પ્રણાલી અને નિયમોનું ઉલ્લંઘન કર્યુ છે.
કોંગ્રેસ સહિત 20 વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી
કોંગ્રેસ સહિત 20 વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. વિપક્ષનું કહેવું છે કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને બાયપાસ કરીને વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરવાનો નિર્ણય માત્ર ગંભીર અપમાન જ નથી, પરંતુ તે લોકશાહી પર સીધો હુમલો પણ છે. તે જ સમયે, ભાજપ સહિત 25 પક્ષો ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે. નવા સંસદ ભવનને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો, જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જાહેર હિતની આ અરજીને ફગાવી દીધી છે.