અમદાવાદ: ગુજરાત બોર્ડનું (Board) પરિણામ 2020 માં 71.34% ની સરખામણીમાં 72.02% છે. નિષ્ણાતો સેલ્ફ ફાઇનાન્સ (Self Finance) એન્જિનિયરિંગની (Engineering) કોલેજોમાં મોટી ખાલી જગ્યાઓની અપેક્ષા રાખે છે. આ વર્ષે 42,000 જેટલા ગ્રુપ B ના વિદ્યાર્થીઓ (Students) જ અરજી કરવા માટે લાયક થયા છે.
ગયા વર્ષની સરખામણીમાં સીટો વધુ ભરાશે તેવી અપેક્ષા
જો ધોરણ 12 સાયન્સના CBSE વિદ્યાર્થીઓને ઉમેરવામાં આવે તો પણ પરીક્ષામાં ઉપસ્થિત 95,361 વિદ્યાર્થીઓમાંથી નિષ્ણાતો એડમિશન (Admission) સિઝનના અંતે સરકારી મેડિકલ કૉલેજોમાં 20% અને સેલ્ફ ફાઇનાન્સ કૉલેજોમાં 60% સીટો ગયા વર્ષની સરખામણીમાં વધુ ભરાશે તેવી અપેક્ષા રાખી છે.
જેના પરિણામો ગુરુવારે જાહેર કરવામાં આવ્યા હતા. કુલ 68,681 વિદ્યાર્થીઓ એટલે કે 72.02% વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર (Certificate) મેળવવા માટે લાયક થયા છે. જે 2020 માં ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહના 71.34% પરિણામ કરતાં માત્ર 0.68% વધારે છે.
આ વર્ષે મેડિકલ કોલેજોની સ્થિતિ સ્પર્ધાત્મક બની જશે
ગ્રુપ B માં આવેલા 61,928 વિદ્યાર્થીઓમાંથી 42,469 વિદ્યાર્થીઓ એટલે કે 68.58% વિદ્યાર્થીઓ પાસ (Pass) થયા છે. તેમાંથી 2,573 એ ગ્રેડ D મેળવ્યો છે. અને તેમાંથી 50% જનરલ (General) કેટેગરી અને 40% અનામત (Reserved) કેટેગરીની પાત્રતા સાથે પ્રવેશમાં ભાગ લેવા માટે લાયક બનશે.
જો 400 CBSE વિદ્યાર્થીઓ અને 1000 વિદેશી (Foreign) વિદ્યાર્થીઓને ધ્યાનમાં લેવામાં આવે તો પણ આ વર્ષે મેડિકલ (Medical) કોલેજોની સ્થિતિ સ્પર્ધાત્મક બની જશે. જેમાં સૌથી વધુ સીટો સરકારી કોલેજોમાં ભરાશે તેવું શિક્ષણ (Education) વિભાગના નિરીક્ષકે જણાવ્યું હતું.
હોમિયોપેથી, આયુર્વેદ, નર્સિંગ વગેરે તરફ ઝોક વધી રહ્યો છે.
ગ્રુપ A ના વિદ્યાર્થીઓની સંખ્યા દર વર્ષે ઘટી રહી છે જ્યારે ગ્રુપ B ના વિદ્યાર્થીઓની સંખ્યા દર વર્ષે વધી રહી છે. 2013માં 12મા ધોરણની સાયન્સની (Science) પરીક્ષામાં ઉપસ્થિત 1,20,000 વિદ્યાર્થીઓ ગ્રુપ B ના વિદ્યાર્થીઓ હતા.
જેનો આંકડો વધીને 2020માં 7,71,500 વિદ્યાર્થીઓ (Student) થયા હતા તથા 2020માં છેલ્લે ખાનગી (Private) કોલેજોમાં મેરિટ 50.08% એ અટક્યું હતું. ત્યારબાદ 2021માં ઘટીને 68,000 વિદ્યાર્થીઓ (Student) થયા હતા. 2021માં માસ પ્રમોશનને લીધે વિદ્યાર્થીઓને ગ્રેડના આધારે એડમિશન આપવામાં આવ્યા હતા.
ગ્રુપ B લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી,હોમિયોપેથી, આયુર્વેદ, નર્સિંગમાં વધુ અરજીઓ.
ગુજરાતની મેડિકલ કોલેજના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે હાલમાં એન્જિનિયરિંગ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓની રુચિ (Interest) જતી રહી છે. ફક્ત કોમ્પ્યુટર અને ITની હજુ પણ માંગ છે. ગ્રુપ B લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે અને હોમિયોપેથી, આયુર્વેદ, નર્સિંગ વગેરે તરફ ઝોક વધી રહ્યો છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર