Home /News /gandhinagar /અમિત ચાવડાની ટકોર, 'વિદ્યાર્થીઓની જેમ સરકારી અધિકારીઓએ પણ ગુજરાતી ભાષામાં વ્યવહાર કરવો જોઇએ'
અમિત ચાવડાની ટકોર, 'વિદ્યાર્થીઓની જેમ સરકારી અધિકારીઓએ પણ ગુજરાતી ભાષામાં વ્યવહાર કરવો જોઇએ'
અમિત ચાવડા ફાઇલ તસવીર
Gujarati language: ફરજિયાત ગુજરાતી ભાષા અંગેનું બિલ ગૃહમાં રજૂ થયા બાદ અમિત ચાવડાએ એમ પણ જણાવ્યુ કે, સરકારને હવે કેમ યાદ આવ્યું કે ગુજરાતી ભાષા ફરજિયાત કરવી જોઇએ.
ગાંધીનગર: રાજ્યના તમામ બાળકો એ,બી,સીની સાથે ક,ખ,ગ ભણે તે માટેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આજે ગુજરાતી ભાષા ફરજિયાત અંગેનું બિલ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે વિધાનસભા ગૃહમાં રજૂ થયુ છે. આ અંગે વિપક્ષના નેતા અમિત ચાવડાએ બિલ અંગે ટિપ્પણી કરી હતી. જેમાં તેમણે એમ પણ જણાવ્યુ કે, સરકારને હવે કેમ યાદ આવ્યું કે ગુજરાતી ભાષા ફરજિયાત કરવી જોઇએ. વિદ્યાર્થીઓ સાથે સરકારી અધિકારીઓ પણ ગુજરાતી ભાષામાં વ્યવહાર કરે તે માટે ટકોર કરી છે.
અમિત ચાવડાની ટકોર
વિધાનસભા ગૃહમાં સરકાર દ્વારા બિલ રજુ કરવામાં આવતા વિપક્ષના નેતા અમિત ચાવડાએ બિલ અંગે ટિપ્પણી પણ કરી હતી. તેમણે જણાવ્યુ કે, સરકારને કેમ છેક અત્યારે ગુજરાતી ભાષા ફરજિયાત કરવી જરૂરી લાગી. આ સાથે તેમણે ટકોર કરતા જણાવ્યુ કે, વિદ્યાર્થીઓ ઉપરાંત સરકારી અધિકારીઓએ પણ ગુજરાતી ભાષામાં વ્યવહાર કરવો જોઇએ.
ગુજરાતની રાજ્યભરની શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવામાં આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ભાષા ફરજિયાત કરતુ બિલ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યુ હતુ. હવે રાજ્યની તમામ શાળામા ધોરણ એકથી આઠમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ આજે બિલ રજૂ કરવામાં આવ્યુ છે.
દંડ અને સજાની જોગવાઈ પણ હશે
આ બિલમાં ગુજરાતી વિષય ન ભણાવતી શાળાઓ માટે દંડ અને સજાની જોગવાઈ રાખવામાં આવી છે. રાજ્યમાં ચાલતી અંગ્રેજી માધ્યમની શાળાઓ સીબીએસસી બોર્ડની શાળાઓ અને ઇન્ટરનેશનલ બોર્ડની શાળાઓ દ્વારા આ નિયમોનો ઉલ્લંઘન કરવામાં આવતું હતું. જે મામલે રાજ્ય સરકાર સામે ગુજરાત હાઇકોર્ટે પર લાલ આંખ કરી હતી. ત્યારે હવે રાજ્ય સરકાર ગુજરાતી ભાષા માટે હવે કાયદો બનાવવા જઈ રહી છે.
આ કાયદા પ્રમાણે ધોરણ એકથી આઠમાં તમામ શૈક્ષણિક બોર્ડ એટલે કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, સીબીએસસી શિક્ષણ બોર્ડ અને ઇન્ટરનેશનલ શિક્ષણ બોર્ડની શાળાઓએ પણ ફરજિયાત પણે વિદ્યાર્થીઓને ગુજરાતી વિષયનો અભ્યાસક્રમ આપવાનો રહેશે.
જો આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવશે તો શાળાને પ્રથમ વર્ષે દંડ કરવામાં આવશે તો બીજા વર્ષે એ નિયમનો ઉલ્લેખન કરવામાં આવશે તો બીજી વખત દંડ કરવામાં આવશે અને જો ત્રીજા વર્ષે નિયમનું ઉલંઘન થશે તો શાળાની વાર્ષિક આવકમાંથી ટકાવારી પ્રમાણે દંડ કરવામાં આવશે.