Home /News /gandhinagar /કોંગ્રેસ નક્કી નથી કરી શકી વિપક્ષ પદનાં નેતાનું નામ, આંતરિક ખટરાગ છે કારણ?
કોંગ્રેસ નક્કી નથી કરી શકી વિપક્ષ પદનાં નેતાનું નામ, આંતરિક ખટરાગ છે કારણ?
જગદીશ ઠાકોરની ફાઇલ તસવીર
Gujarat Politics: આ અંગે ગુજરાત વિધાનસભાના સચિવે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને પત્ર લખી તાકીદ કરી છે કે તેઓ વિધાનસભા વિપક્ષના પદના નેતાનું નામ મોકલી આપે.
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસનું ખૂબ જ કંગાળ પ્રદર્શન રહ્યું છે. ભાજપે બધા રેકોર્ડ તોડી 156 બેઠકો પર વિજય મેળવ્યો હતો. કોંગ્રેસનો એટલી જ હદે સફાયો થયો છે. વિધાનસભા વિપક્ષના પદ માટે જરૂરી 19 બેઠકો પણ મેળવી નથી. માત્ર 17 ધારાસભ્યોનું સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હજુ સુધી વિધાનસભામાં વિપક્ષના નેતાની પસંદગી કરી શકતી નથી.
આ અંગે ગુજરાત વિધાનસભાના સચિવે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને પત્ર લખી તાકીદ કરી છે કે તેઓ વિધાનસભા વિપક્ષના પદના નેતાનું નામ મોકલી આપે. આ માટેની સમય મર્યાદા 19મી જાન્યુઆરી સુધીની છે. પોતાના વિપક્ષના નેતા નિમણૂક કરવા હોય તો 19 જાન્યુઆરી સુધીમાં વિધાનસભા સચિવને કોઈ એક નામ કોંગ્રેસના ધારાસભ્યનું વિરોધ પક્ષના નેતા તરીકે પસંદ કરી મોકલી આપવું પડશે. જો આ સમય મર્યાદામાં નામ જાહેર નહીં કરાય તો કોંગ્રેસને વિધાનસભા વિપક્ષ પદ પણ ગુમાવવું પડશે.
વિધાનસભાની તાકીદને પગલે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કમાન્ડને આ મામલે જાણ કરી છે. અર્જુન મોઢવાડિયાએ વિપક્ષી નેતા બનવાના માટે અનિશ્ચા દર્શાવી છે. આ તરફ સિન્યોરીટી જોતા શૈલેષ પરમારનું નામ ટોપ પર ચાલી રહેલું છે. વિપક્ષી નેતાની રેસમાં સી. જે. ચાવડાનું નામ પણ ચર્ચામાં છે. વિપક્ષી નેતા બની કાર બંગલો લેવા કોંગ્રેસમાં પણ આંતરિક યુદ્ધ જામ્યું છે. આંતરિક ખટરાગનાં પરિણામને કોંગ્રેસ પક્ષના નેતાની પસંદગી કરી શકાતી નથી.
મળતી માહિતી પ્રમાણે, મોઢવાડિયાનું નામ પણ આ રેસમાં આગળ ચાલી રહેલું છે. કારણ કે, મોઢવાડિયા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂકેલા છે અને આ પહેલા પણ તેઓ ભોગવી ચૂકેલા છે. હવે જોવાનું રહેશે કે હજુ મોઢવાડિયાની ઈચ્છા દર્શાવી છે ત્યારે શૈલેષ પરમારને આ વખતે કોંગ્રેસ પક્ષ વિધાનસભાના વિપક્ષના નેતા બનાવે છે કે પછી સી.જે. ચાવડાને વિધાનસભા વિપક્ષના નેતા બનાવે છે.