ગાંધીનગર: આયુર્વેદ કોલેજ અને કોલવડા તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આગામી સાતમી જાન્યુઆરીના રોજ જિલ્લા કક્ષાના આયુષ મેળાનું આયોજન કલોલના ભારત માતા ટાઉનહોલ ખાતે કરવામાં આવ્યું છે. આ મેળાનો આરંભ સવારના ૮.૦૦ કલાકે થશે. આ મેળાના આરંભે સવારે ૦૮:૦૦ થી ૦૮:૪૫ કલાકે યોગ શિબિર , ૦૮:૩૦ થી ૦૯:૧૫ દરમ્યાન પ્રભાત ફેરી તથા સાંજે ૪:૦૦ થી ૬:૦૦ દરમ્યાન આયુષ થીમ પર ભવાઈ, ડાયરો, નાટક જેવા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મેળામાં ખાસ આકર્ષણોમાં આયુષ થીમ પર ફુડ સ્ટોલ , આયુર્વેદિક ઔષધિય પીણા અને વાનગીના સ્ટોલ પણ ઉભા કરાયા છે. કેમ્પમાં પ્રથમ ૧૦૦ દર્દીઓનું નાડી પરીક્ષણ નિષ્ણાત નાડી વૈધ રાકેશ ભટ્ટ , વૈધ દેવાનદ પંડિત , વૈધ મીના ઠાકર દ્વારા કરવામાં આવશે.
દંપતીને સ્વસ્થ બાળક માટે ગર્ભધાન પહેલાં તથા ગર્ભાવસ્થા દરમિયાન ખાસ આયુર્વેદિક દવાઓ અને જીવન શૈલી વિશે માર્ગદર્શન આપવામાં આવશે. ચામડીના રોગો,સ્ત્રી રોગો , બાલરોગો, લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર જેવા તમામ રોગોની નિષ્ણાતો દ્વારા સારવાર આપવામાં આવશે.
પ્રક્રૃતિ પરિક્ષણ – તમામ શરિરની તસીર , કોઠા પ્રકૃતિને જાણી આહાર વિહાર અંગે માર્ગદર્શન , શરિરની રોગ પ્રતિરોધક શક્તિ વધારવા હર્બલ ટી વિતણ , સુગર અને બ્લડ પ્રેશર ચેક અપ , બાળકોની બુધ્ધિ શક્તિ અને રોગપ્રતિકારકતા વધારવા માટે સુવર્ણ પ્રાસન જેવી સુવિધાઓ આ શિબિરમાં ઉપલબ્ધ થશે.શિબિર દરમ્યાન હોમિયોપેથીને જાણો વિષય પર વક્તવ્ય પણ અપાશે.