Home /News /explained /World Day of Social Justice: સમાનતાના છે સૌકોઈ હકદાર, સામાજિક ન્યાયમાં જાણો ઔપચારિક રોજગારનું મહત્વ

World Day of Social Justice: સમાનતાના છે સૌકોઈ હકદાર, સામાજિક ન્યાયમાં જાણો ઔપચારિક રોજગારનું મહત્વ

સામાજિક ન્યાય દુનિયામાં સમાનતા લાવવા માટે મુખ્ય જરૂરિયાત છે. (Image credit- Shutterstock)

World Day of Social Justice: સંયુક્ત રાષ્ટ્ર (United Nations) દર વર્ષે 20 ફેબ્રુઆરીએ સામાજિક ન્યાય વિશ્વ દિવસ (World Day of Social Justice) મનાવે છે. સામાજિક ન્યાય માનવ અધિકારો અને વિશ્વમાં ફેલાયેલી અસમાનતાઓ વચ્ચે સમાજમાં તકો અને વિશેષાધિકારોની વહેંચણીમાં ન્યાય સ્થાપિત કરવાનું કામ કરે છે.

વધુ જુઓ ...
World Day of Social Justice: કોવિડ-19 મહામારી (Covid-19 Pandemic)ના કારણે પાછલા બે વર્ષથી સંયુક્ત રાષ્ટ્ર (United Nations)ના સામાજિક અને વૈશ્ચિક મુદ્દા જાણે ઢંકાઈ ગયા હતા. તેમાં આરોગ્ય સંબંધિત અન્ય સમસ્યાઓ ઉપરાંત બાળકો, ગરીબો, પીડિતો માટે થઈ રહેલા પ્રયાસોને પણ ફટકો પડ્યો છે. મહામારીને કારણે લોકડાઉન થયું અને તેના કારણે અનેક સમસ્યાઓ ઘેરી બની છે. આવો જ એક મુદ્દો સામાજિક ન્યાયનો છે. માનવ અધિકારો અને વિશ્વમાં ફેલાયેલી અસમાનતા વચ્ચે સમાજમાં તકો અને વિશેષાધિકારોની વહેંચણીમાં ન્યાયની સ્થાપના કરવાનું સામાજિક ન્યાયના દાયરામાં આવે છે. લોકોને તેના મહત્વથી વાકેફ કરવા માટે યુનાઈટેડ નેશન્સ દર વર્ષે 20 ફેબ્રુઆરીએ ‘વિશ્વ સામાજિક ન્યાય દિવસ (World Day for Social Justice 2022) ઉજવે છે.

શું છે સામાજિક ન્યાય?

આધુનિક સમાજમાં તમામ લોકોને સમાન તકો અને સુવિધાઓ મળવી જોઈએ - તે માત્ર સામાજિક ન્યાયનો જ નહીં પરંતુ તમામ દેશોનો આદર્શ છે. સામાજિક ન્યાયનું ધ્યેય એ સુનિશ્ચિત કરવાનું છે કે લોકો સમાજમાંથી એ બધું જ મેળવી શકે જેના તેઓ હકદાર છે. આ માટે સમાજની વિવિધ સંસ્થાઓને અધિકારો અને કર્તવ્યો આપવામાં આવે છે, જેથી આ લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે.

world day of social justice
સંયુક્ત રાષ્ટ્ર પોતાની નીતિઓમાં સામાજિક ન્યાયને વધુ મહત્વ આપે છે. (પ્રતીકાત્મક ફોટો- shutterstock)


‘વિશ્વ સામાજિક ન્યાય દિવસ’નો ઇતિહાસ

સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીએ 26 નવેમ્બર 2007ના રોજ જાહેરાત કરી હતી કે દર વર્ષે 20 ફેબ્રુઆરીને સામાજિક ન્યાય માટે વિશ્વ દિવસ તરીકે ઉજવવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીએ આ દિવસની શરૂઆત માનવતા માટે જોખમી સમસ્યાનો સામનો કરવા માટે કરી હતી. તેનો હેતુ સમાનતા ફેલાવીને અન્યાય અને ભેદભાવને નાબૂદ કરવાનો છે.

આ પણ વાંચો: રશિયા જો યુક્રેન પર હુમલો કરે તો તેનાથી ભારતને શું નુકસાન થશે?

આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને કર્યો સ્વીકાર

ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને પણ 10 જૂન 2008ના રોજ સર્વસંમતિ સાથે નિષ્પક્ષ વૈશ્વિકીકરણ માટે સામાજિક ન્યાયની ઘોષણાનો સ્વીકાર કર્યો હતો. આ વર્ષ 1919માં સંગઠનનું સંવિધાન બન્યા બાદ ત્રીજું સૌથી મોટું સૈદ્ધાંતિક અને નીતિગત નિવેદન હતું જેને સ્વીકારવામાં આવ્યું હતું. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનની આ કવાયત સામાજિક ન્યાયના મહત્વને રેખાંકિત કરે છે.

આ વર્ષની થીમ

સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2022 માટે પોતાની થીમમાં ઔપચારિક રોજગાર પર ભાર મૂક્યો છે. તેથી જ આ વર્ષની થીમ ‘ઔપચારિક રોજગારના માધ્યમથી સામાજિક ન્યાય પ્રાપ્ત કરવો’ છે. યુનાઇટેડ નેશન્સ અનુસાર દુનિયાના 2 અબજ લોકો એટલે 60 ટકા નોકરિયાત સંખ્યા પોતાની આજીવિકા અનૌપચારિક અર્થવ્યવસ્થામાંથી મેળવે છે. કોવિડ-19 મહામારીએ આ અનૌપચારિક અર્થવ્યવસ્થામાં કામ કરી રહેલા કર્મચારીઓ અને કામદારોની કમજોરી તરફ ધ્યાન દોર્યું છે.

world day of social justice
સામાજિક ન્યાયના લક્ષ્યો સિદ્ધ કરવા માટે ઔપચારિક અર્થવ્યવસ્થા વધુ કારગર છે. (પ્રતીકાત્મક ફોટો- shutterstock)


અનૌપચારિક અર્થતંત્રના ગેરફાયદા

અનૌપચારિક કામદારોને ઘણીવાર પર્યાપ્ત સામાજિક સુરક્ષા અથવા રોજગારના લાભો મળતા નથી. તેઓ ઔપચારિક કામદારો કરતાં બમણા ગરીબ છે. મોટાભાગના લોકો અનૌપચારિક અર્થતંત્રમાં પોતાની મરજીથી નહીં, પરંતુ ઔપચારિક અર્થતંત્રમાં તકોના અભાવને કારણે આવે છે. અસમાનતા અને ગરીબી ઘટાડવા, ઉત્પાદકતા વધારવા, ઉદ્યમોનું ટકાઉપણું અને સરકારોના કાર્યક્ષેત્રને વિસ્તૃત કરવા માટે ઔપચારિક રોજગાર અને વ્યવસાયને પ્રોત્સાહન આપવું જરૂરી છે.

આ પણ વાંચો: જે ‘રવિદાસિયા સમુદાય’ને કારણે પંજાબ ચૂંટણીની તારીખ બદલવામાં આવી, જાણો તેનું મહત્વ 5 પોઈન્ટમાં

લોકોને ઔપચારિક અર્થતંત્રમાં લાવવાનો પડકાર

આ બધું તેના પર નિર્ભર રહેશે કે રાષ્ટ્રીય સ્થિતિઓ અને અનૌપચારિક કાર્યના પરિબળોનો સામનો કરતી વ્યૂહરચના કેવી રીતે કાર્ય કરે છે. ઔપચારિક અર્થતંત્ર દ્વારા યોગ્ય સ્તરે કામ કરવાની તકો પૂરી પાડવા, અનૌપચારિક અર્થતંત્રમાંથી કામદારો અને કર્મચારીઓ ઘટાડવા અને ઔપચારિક અર્થતંત્રમાં પ્રવેશવાની તેમની ક્ષમતાને મજબૂત કરવા જેવા કાર્યો અસરકારક બની શકે છે.

ઔપચારિક ક્ષેત્રમાં નોકરીઓ અને વ્યવસાયો વગેરેનું સર્જન કરવું અને લોકોને તેમાં લાવવા એ ધીમી અને જટિલ પ્રક્રિયા છે. તેમાં અનૌપચારિક અર્થતંત્રના પરિબળો અને ગુણધર્મોની ઊંડાણપૂર્વકની સમજણ હોવી જરૂરી છે. ઘણા દેશો લોકોને અનૌપચારિકમાંથી ઔપચારિક અર્થતંત્ર તરફ લઈ જવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. આમાં ડિજિટાઈઝેશનનો ફાળો પણ વધી રહ્યો છે.
First published:

Tags: Explained, Labor, Today history, United nations, જ્ઞાન, યુનાઇટેડ નેશન્સ united nations

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો