Home /News /entertainment /'લાલ સિંહ ચઢ્ઢા' સામે આક્રોશ,આમિર ખાનની ફિલ્મને બોયકોટ કરવાની માગણી
'લાલ સિંહ ચઢ્ઢા' સામે આક્રોશ,આમિર ખાનની ફિલ્મને બોયકોટ કરવાની માગણી
'લાલ સિંહ ચડ્ઢા' રિલીઝ પહેલાં થઈ બાયકોટ
આમિર ખાન (Aamir Khan)ની ફિલ્મની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેની દરેક ફિલ્મ યુનિક હોય છે જે તેને બીજા એક્ટર્સથી અલગ બનાવે છે. આમિર લાંબા સમય પછી મોડા પડદા પર વાપસી કરી રહ્યો છે. છેલ્લે તે 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' (Thugs Of hindostan)માં જોવા મળ્યો હતો. સાથે 2018માં આવેલી આ ફિલ્મ સુપર ફ્લોપ સાબિત થઈ હતી. હવે લાલ સિંહ ચડ્ઢા (Laal Singh Chaddha)ની સાથે આમિર વાપસી કરી રહ્યો છે. જો કે, આમિરની અપકમિંગ મૂવી લાલ સિંહ ચડ્ઢાને લોકો બાયકોટ કરવાનું કહી રહ્યા છે.
આમિર ખાન (Aamir Khan)ની ફિલ્મની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેની દરેક ફિલ્મ યુનિક હોય છે જે તેને બીજા એક્ટર્સથી અલગ બનાવે છે. આમિર લાંબા સમય પછી મોડા પડદા પર વાપસી કરી રહ્યો છે. છેલ્લે તે 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' (Thugs Of hindostan)માં જોવા મળ્યો હતો. સાથે 2018માં આવેલી આ ફિલ્મ સુપર ફ્લોપ સાબિત થઈ હતી. હવે લાલ સિંહ ચઢ્ઢા (Laal Singh Chaddha)ની સાથે આમિર વાપસી કરી રહ્યો છે. જો કે, આમિરની અપકમિંગ મૂવી લાલ સિંહ ચઢ્ઢાને લોકો બાયકોટ કરવાનું કહી રહ્યા છે.
લાલ સિંહ ચઢ્ઢા ન જોવા માટે અપીલ
આ જાણીને તમને આશ્ચર્ય થશે પરંતુ આ હકીકત છે. 11 ઓગસ્ટે રિલીઝ થનારી લાલ સિંહ ચઢ્ઢાને લઈને નેગેટિવ માહોલ આમિર ખાનના ફેન્સને નિરાશ કરી શકે છે. ટ્વિટર પર #BoycottLaalSinghChaddha ટ્રેન્ડ કરી રહ્યું છે. આમિર ખાન અને કરિના કપૂરની ફિલ્મ ન જ જોવા પર જોર શોરથી ટ્રેન્ડ ચાલી રહ્યો છે. મૂવી રિલીઝ પહેલા આમિર ખાનની ફિલ્મને લઈને લોકો કેમ નારાજ છે, જાણો તેનું કારણ.
એક યુઝરે લખ્યું- કેમ કે તારી પત્નીએ કહ્યું હતું કે ભારતમાં રહેવું સુરક્ષિત નથી. તો તું તારી ફિલ્મ અહીં કેમ રિલીઝ કરી રહ્યો છે. બીજા યુઝરે લખ્યું- મારી બધાને અપીલ છે કે તેઓ પોતાની મહેનતી કમાણી લાલ સિંહ ચઢ્ઢા પર ખર્ચ ન કરે. સમય આવી ગયો છે કે આ નેપોકિડ્સ, ડ્રગ્સ લેતા માફિયાઓને બાયફોટ કરવામાં આવે. હું કહીશ કે તમારા પૈસાને જરૂરિયાતમંદ લોકો પર ખર્ચ કરો. વર્ષો પહેલા આમિરે શિવલિંગ પર દૂધ ચઢાવવાને યુઝલેસ ગણાવ્યું હતું. તેમજ કરિનાએ કહ્યું હતું- અમારી ફિલ્મો ન જુઓ, કોઈ ફોર્સ નથી કરી રહ્યું. બંને સેલેબ્સના આ જૂના નિવેદનનો હવાલો આપતા લાલ સિંહ ચઢ્ઢાને બાયકોટ કરવાની માગ થઈ રહી છે. યુઝર્સે આમિર પર હિન્દુ સંસ્કૃતિનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. કેટલાક લોકોનું કહેવું છે કે, લાલ સિંહ ચડ્ઢા જોયા કરતાં ઓરિજિનલ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પ જોવી.
— जय श्री राम🚩🙏 सनातनी हिन्दू🕉️ (@Shubhamji_Vande) July 30, 2022
સોશિયલ મીડિયા પર આમિર ખાનની ફિલ્મને લઈને જોરદાર ગુસ્સો જોવા મળી રહ્યો છે. આટલો રોષ જોયા પછી મૂવીનું ભવિષ્ય સંકટમાં છે. લાલ સિંહ ચઢ્ઢાને અદ્વેત ચંદને ડાયરેક્ટ કરી છે, કેમ કે આ ફિલ્મ ટોમ હેંક્સની મૂવીની હિન્દી રિમેક છે તેથી લોકો તેને જોવામાં વધારે રસ નહીં દાખવે. હવે મૂવી રિલીઝ પછી જ ખબર પડશે કે આમિર ખાનની ફિલ્મને લોકોને કેવો રિસ્પોન્સ મળે છે. બોક્સ ઓફિસ પર લાલ સિંહ ચઢ્ઢા અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન સાથે ક્લેશ થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર