Home /News /entertainment /વરમાલા પછી Vicky Kaushal એવું શું કહ્યું, કે Katrina Kaif આંસુ રોકી ન શકી
વરમાલા પછી Vicky Kaushal એવું શું કહ્યું, કે Katrina Kaif આંસુ રોકી ન શકી
કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન આ વર્ષના બોલિવૂડના સૌથી મોટા લગ્નોમાંથી એક છે. (ફોટો ક્રેડિટ - फोटो साभार- @katrinakaif/Instagram)
કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન આ વર્ષના બોલિવૂડના સૌથી મોટા લગ્નોમાંથી એક છે. વરમાલા પછી જ વિકી કૌશલે (Vicky Kaushal) કેટરિ (Katrina Kaif)ના વિશે કંઈક એવું કહ્યું હતું, જેને સાંભળીને તે પોતાના આંસુ રોકી શકી ન હતી
વિકી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફે (Katrina Kaif) લગ્ન પહેલા ક્યારેય સમાજની સામે તેમના પ્રેમનો સ્વીકાર કર્યો ન હતો. ઘણી વખત બંનેને એકસાથે સ્પોટ કરવામાં આવ્યા હતા, કેટલીકવાર બંનેને આ સંબંધ વિશે સવાલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓએ હંમેશા તેમના પ્રેમ પર મૌન સેવ્યું હતું. તેણે 7 ફેરા બાદ લગ્નનું રહસ્ય ખોલ્યું. પરંતુ શું તમે જાણો છો કે, વરમાલા પછી જ વિકી કૌશલે કેટરિના વિશે કંઈક એવું કહ્યું હતું, જેને સાંભળીને તે પોતાના આંસુ રોકી શકી ન હતી (Vicky Kaushal Left Katrina Kaif Teary eyed).
જયમાલા પછી આપી સ્પીચ
કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન આ વર્ષના બોલિવૂડના સૌથી મોટા લગ્નોમાંથી એક છે. છેલ્લા એક મહિનાથી બંનેના લગ્નને લઈને ભારે ચર્ચા ચાલી રહી હતી. બંનેએ રાજસ્થાનના સવાઈ માધોપુર સ્થિત આલીશાન સિક્સ સેન્સ ફોર્ટમાં સાત ફેરા લીધા. 9 ડિસેમ્બરના રોજ, દંપતીએ હિન્દુ રીતરિવાજો અનુસાર લગ્ન કર્યા અને 7 જન્મો સુધી એક થયા. વરમાલા પછી જ વિકી કૌશલે પોતાની પ્રિયતમા માટે એક ખાસ સ્પીચ બોલી, જેને સાંભળીને તે ખૂબ જ ભાવુક થઈ ગઈ.
વિકી કેટરિનાને રાણી તરીકે રાખે છે
બોલિવૂડ બબલના એક રિપોર્ટ અનુસાર, વિકીએ કેટરીના માટે ઈમોશનલ સ્પીચ આપી હતી. એક સૂત્રના જણાવ્યા અનુસાર, 'ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, વિકી અને કેટરીનાએ એક વર્ષની અંદર લગ્ન કરવાનો નિર્ણય કેવી રીતે લીધો? પરંતુ તમને જણાવી દઈએ કે, બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે. કેટરિના પણ વિકીથી ઘણી ખુશ છે. તે તેની સાથે રાણીની જેમ વર્તે છે. આટલું જ નહીં, વિકી એ તમામ સન્માન અને મૂલ્યને પૂર્ણ કરે છે જે કેટરીના સંબંધમાં ઇચ્છતી હતી.
વિકીએ સરસ વક્તવ્ય આપ્યું
સૂત્રએ કહ્યું, 'અમને ખબર હતી કે, વિકી અને કેટરિના લગ્ન કરવા જઈ રહ્યા છે, પરંતુ ખબર નહોતી કે, આ વર્ષે બંને લગ્ન કરશે. વરમાલા સમારોહ પછી, વિકીએ કેટરિનાને કેટલીક પંક્તિઓ કહી કે, કેવી રીતે અભિનેત્રીએ તેના જીવનમાં આવીને બધું બદલી નાખ્યું. આ બધું સાંભળીને કેટરીના ભાવુક થઈ ગઈ અને રડવા લાગી. વિકીએ અદ્ભુત વક્તવ્ય આપ્યું.
તમને જણાવી દઈએ કે, 9 ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા બાદ વિકી અને કેટરીના 10 ડિસેમ્બરના રોજ લગ્ન સ્થળ છોડી ગયા હતા. બંને મુંબઈ પહોંચ્યા અને સીધા હનીમૂન પર ગયા છે, તે હજુ સ્પષ્ટ થયું નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર