Home /News /entertainment /પિઢ ગાયિકા વાણી જયરામનું નિધન, મળવાનો હતો પદ્મ ભુષણ એવોર્ડ, અનેક ભાષાઓમાં ગાયા 10,000 થી વધુ ગીતો

પિઢ ગાયિકા વાણી જયરામનું નિધન, મળવાનો હતો પદ્મ ભુષણ એવોર્ડ, અનેક ભાષાઓમાં ગાયા 10,000 થી વધુ ગીતો

પીઢ ગાયિકા વાણી જયરામનું નિધન. (ફોટો સૌજન્યઃ ફેસબુક)

પીઢ ગાયિકા વાણી જયરામનું ચેન્નાઈમાં નિધન થયું છે. તેઓ 77 વર્ષના હતા. તાજેતરમાં જ ભારત સરકારે તેમને પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. વાણીએ હિન્દી, તમિલ, તેલુગુ સહિત અનેક ઈન્ડસ્ટ્રીના સંગીતકારો સાથે કામ કર્યું હતું.

વધુ જુઓ ...
મુંબઈ :  પીઢ ગાયિકા વાણી જયરામનું ચેન્નાઈમાં નિધન થયું છે. તેણી 77 વર્ષની હતી. તેઓ તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. વાણી જયરામને આ વર્ષે માર્ચમાં પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર હતા. તે દેશનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. તાજેતરમાં જ પદ્મ ભુષણ પુરસ્કારોની યાદી જાહેર કરવામાં આવી હતી.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તેઓ તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, તેના કપાળ પર ઈજાના નિશાન હતા. વાણી ઘણા સમયથી ચેન્નાઈમાં રહેતી હતી અને તમિલ-તેલુગુ ઈન્ડસ્ટ્રી માટે કામ કરતી હતી. આ સિવાય તેણે ઘણી ભાષાઓમાં ગીતો ગાયા છે.

વાણી જયરામે હિન્દી, તમિલ તેલુગુ, મલયાલમ, મરાઠા, ઉડિયા, બંગાળી સહિત દેશની ઘણી ભાષાઓમાં 10 હજારથી વધુ ગીતો ગાયા છે. તેણે 1971ની બોલિવૂડ ફિલ્મ 'ગુડ્ડી'માં 'બોલે રે પાપીહા રે' ગાયું હતું. તેમના અવાજમાં ગવાયેલું આ ગીત એવરગ્રીન સોંગ બની ગયું. જયા બચ્ચને આ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું અને આ ગીત તેમના પર ચિત્રિત કરવામાં આવ્યું હતું.

આ પણ  વાંચો : કંગનાએ ભૂલથી આપી દીધી સિડ-કિયારાના લગ્નની હિન્ટ! વાયરલ થઈ બોલીવુડ ક્વીનની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી

1 હજારથી વધુ ફિલ્મોમાં ગીતો ગાયા છે

વાણી જયરામે 1000 થી વધુ ભારતીય ફિલ્મો માટે પ્લેબેક ગીતો ગાયા છે. તેણે દરેક ઈન્ડસ્ટ્રીના મોટા અને દિગ્ગજ સંગીતકારો સાથે કામ કર્યું અને એકથી વધુ હિટ ગીતો આપ્યા. તેમણે દેશ અને દુનિયાના લોકોને પોતાના મીઠા અવાજથી મંત્રમુગ્ધ કરી દીધા અને ઘણા સ્ટેજ શોમાં પણ પરફોર્મ કર્યું.

વાણી જયરામને ત્રણ વખત નેશનલ એવોર્ડ મળ્યો હતો

વાણી જયરામ બેસ્ટ ફિમેલ બેકગ્રાઉન્ડ સિંગરની કેટેગરીમાં 3 વખત નેશનલ ફિલ્મ એવોર્ડ જીતી ચૂકી છે. તેમણે તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કેરળ, ગુજરાત અને ઓડિશામાંથી રાજ્ય પુરસ્કારો પણ જીત્યા હતા. વાણીએ તાજેતરમાં જ પ્રોફેશનલ સિંગર તરીકે 50 વર્ષ પૂરા કર્યા છે. તેમણે એમએસ ઇલૈયારાજા, આરડી બર્મન, કે.વી. મહાદેવન, ઓપી નૈયર અને મદન મોહન સહિતના અન્ય જાણીતા સંગીતકારો સાથે કામ કર્યું છે.
First published:

Tags: Padma Bhushan, Singer death