ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરની આત્મહત્યાના મામલામાં મોટો ખુલાસો થયો છે. પોલીસે કોર્ટમાં રજૂ કરેલા ચલણમાં જણાવવામાં આવ્યું છે કે નહાતી વખતે તેનો છુપાઇને વીડિયો બનાવવામાં આવ્યો હતો.
સસુરાલ સિમર કા... ટીવી સિરિયલની એક્ટ્રેસ વૈશાલી ઠક્કરની આત્મહત્યાએ બધાને ચોંકાવી દીધા હતા. તેની સગાઈ થઈ હતી અને તે પછી જ તેણે આત્મહત્યા કરી લીધી હતી. હવે આ કેસમાં પોલીસે કોર્ટમાં ચલણ રજૂ કર્યું છે, જેમાં આપઘાતનું કારણ બહાર આવ્યું છે.
પોલીસે ચલણમાં જણાવ્યું છે કે આરોપી રાહુલ નવલાણીએ નહાતી વખતે તેનો વીડિયો બનાવ્યો હતો. તેના લગ્ન નક્કી થયા બાદ રાહુલે આ વીડિયો તેના મંગેતરને મોકલ્યો હતો, જેના કારણે લગ્ન તૂટી ગયા હતા. આ પછી વૈશાલીએ આત્મહત્યા કરી લીધી હતી.
આ વીડિયો ઓગસ્ટ 2021માં ગોવામાં બનાવવામાં આવ્યો હતો. અહીં વૈશાલી ગોવાની એક હોટલમાં રાહુલ સાથે ત્રણ દિવસ રોકાઈ હતી. બંને ત્યાં ફરવા ગયા હતા અને લગ્નની વાત થઈ હતી. આ દરમિયાન રાહુલે વીડિયો બનાવ્યો હતો. પોલીસે આ વાતની પુષ્ટિ કરવા માટે વૈશાલીના મંગેતર એન્જિનિયર મિતેશ ગૌર પાસેથી પણ જાણકારી માંગી છે.
રાહુલને મળી ગયા જામીન
આ કેસમાં આરોપી રાહુલ નવલાણીને જામીન મળી ગયા છે. વૈશાલીના પરિવારજનોએ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો પરંતુ તેને જામીન મળી ગયા હતા. હવે ફરી એકવાર પોલીસના ચલણને કારણે રાહુલની મુશ્કેલીઓ વધી શકે છે.
વૈશાલીએ પોપ્યુલર ટીવી શો 'સસુરાલ સિમર કા'માં અંજલિ ભારદ્વાજનું પાત્ર ભજવ્યું હતું. તે ખૂબ જ પોપ્યુસર હતી અને તેની કરિયરમાં પણ તેને સતત સફળતા મળી રહી હતી. વૈશાલીએ ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ….માં સંજનાના રોલથી પણ ઘણી લોકપ્રિયતા મેળવી હતી. ઑક્ટોબર 2022 માં, વૈશાલીએ ઈન્દોરના સાંઈ બાગ કોલોનીમાં તેના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી. વૈશાલીની આત્મહત્યાના કેસમાં પોલીસે પાડોશી રાહુલ નવલાની અને તેની પત્ની દિશા નવલાની વિરુદ્ધ કલમ 306 (હત્યા માટે ઉશ્કેરણી) હેઠળ કેસ નોંધ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર