Home /News /entertainment /'તેને પગ દેખાડવાના મળ્યા લાખો રૂપિયા!' ‘સેક્સ સિમ્બોલ’ તરીકે ઓળખાતી શ્રીદેવીને આ એક્ટ્રેસે માર્યો ટોણો
'તેને પગ દેખાડવાના મળ્યા લાખો રૂપિયા!' ‘સેક્સ સિમ્બોલ’ તરીકે ઓળખાતી શ્રીદેવીને આ એક્ટ્રેસે માર્યો ટોણો
24 ફેબ્રુઆરી, 2018ના રોજ શ્રીદેવીનું દુબઈમાં એક હોટલના બાથટબમાં આકસ્મિક રીતે ડૂબી જવાને કારણે મૃત્યુ થયું હતું
પર્સનલ લાઇફમાં શ્રીદેવીએ 1996માં પહેલેથી જ પરિણીત વ્યક્તિ બોની કપૂર (Boney Kapoor) સાથે લગ્ન કર્યા હતા અને ઘણા સ્ટીરિયોટાઇપ્સને તોડી નાંખ્યા હતા. આ મચ-ઇન-લવ કપલે બે સુંદર દીકરીઓ જાન્હવી કપૂર અને ખુશી કપૂરને જન્મ આપ્યો હતો.
13 ઓગસ્ટ, 1963ના રોજ શિવકાસીમાં જન્મેલી શ્રીદેવી (Actress Shri Devi)ને ભારતની અત્યાર સુધીની સૌથી સુંદર અને શાનદાર અભિનેત્રીઓ (Beautiful Actresses of Bollywood)માંની એક માનવામાં આવતી હતી. 50 વર્ષની કારકિર્દીમાં, શ્રીદેવીએ તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના પાથ-બ્રેકિંગ અભિનય (Shri Devi Film Career) સાથે કરોડો ફેન્સના દિલો પર રાજ કર્યું હતું. તેણીને ઘણીવાર 'સેક્સ સિમ્બોલ' (Sex Symbol) તરીકે પણ બિરદાવવામાં આવતી હતી, કારણ કે તેણે ફિલ્મોમાં તેના હોટ અવતારોથી બધાને સ્તબ્ધ કરી દીધા હતા.
પર્સનલ લાઇફમાં શ્રીદેવીએ 1996માં પહેલેથી જ પરિણીત વ્યક્તિ બોની કપૂર (Boney Kapoor) સાથે લગ્ન કર્યા હતા અને ઘણા સ્ટીરિયોટાઇપ્સને તોડી નાંખ્યા હતા. આ મચ-ઇન-લવ કપલે બે સુંદર દીકરીઓ જાન્હવી કપૂર અને ખુશી કપૂરને જન્મ આપ્યો હતો.
24 ફેબ્રુઆરી, 2018ના રોજ શ્રીદેવી દુબઈમાં એક હોટલના બાથટબમાં આકસ્મિક રીતે ડૂબી જવાને કારણે મૃત્યુ પામતા તેમના ફેન્સમાં ઘેરો શોક છવાયો હતો. તેમના અકાળે અવસાનથી તેમના પરિવારના સભ્યોના હૃદયમાં એક મોટો દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. તેઓ તેમના જીવનના દરેક તબક્કે હજુ પણ શ્રીદેવીને ખૂબ જ યાદ કરે છે.
અગાઉ સ્ટારડસ્ટને આપેલા એક ઇન્ટરવ્યુમાં સ્મિતા પાટિલે શ્રીદેવી (Smita Patil Slammed Shri Devi) વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે તેમને લાગે છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શ્રીદેવીનું શોષણ કરવામાં આવી રહ્યું છે. તે દિવસોમાં શ્રીદેવીએ કેવા પ્રકારની ભૂમિકાઓ કરવાનું પસંદ કર્યું હતું તે વિશે વાત કરતાં સ્મિતાએ જણાવ્યું હતું કે, તેને એ વિચાર સાથે લાવવામાં આવી હતી કે પૈસા કમાવવા માટે અર્થહીન દ્રશ્યો કરવા પણ યોગ્ય છે.
સ્મિતાએ શ્રીદેવીને પોતાની મિત્ર ગણાવતાં કહ્યું હતું કેઃ "શ્રીદેવી મારી સારી મિત્ર છે. હું ખરેખર તેની સાથે વાત કરવા માંગુ છું અને તેણીને પૂછવા માંગુ છું કે શું તેણીનું જે રીતે શોષણ કરવામાં આવી રહ્યું છે તેનાથી તે વાકેફ છે? કદાચ તે ન પણ હોઇ શકે. હું એમ ન કહી શકું કે મારું શોષણ થયું નથી. ફિલ્મ ‘ચક્ર' દરમિયાન હું તે નહાવાના સીનને સમજવા માટે ખૂબ જ નાદાન હતી. હું માની ગઈ હતી અને મેં વર્ષો સુધી તેનો બચાવ કર્યો હતો. મારા જેવી વિચારશીલ વ્યક્તિને એ સમજતાં ચાર વર્ષ લાગ્યા હતા અને આ દક્ષિણ ભારતીય અભિનેત્રીઓને વિચારવા માટે સમય પણ આપવામાં આવતો નથી. તેમની આસપાસનું વાતાવરણ તેમને માનસિક રીતે આગળ વધવાની તક આપતું નથી. તેથી સ્વાભાવિક છે કે તેઓ તેમના માતાપિતાની નજરે જીવનને જુએ છે. તેઓ પૂરતા પૈસા કમાવવા અને લગ્ન કરવા માટે આ અર્થહીન દ્રશ્યો કરે છે."
સ્મિતાએ એક ઘટનાને પણ યાદ કરી હતી, જ્યારે તેને ડિલિવરી સીન માટે પગ બતાવવાનું કહેવામાં આવ્યું હતું અને ખુલાસો કર્યો હતો કે તેણે ઉલ્લેખ કર્યો હતો કે તેના હાવભાવ પ્રેક્ષકોને આ દ્રશ્યને સમજાવવા માટે પૂરતા હતા. શ્રીદેવી અને અન્ય અભિનેત્રીઓ પર કટાક્ષ કરતા સ્મિતાએ કહ્યું હતું કે, જો તેણી તે સીન નહીં કરે તો બીજું કોઈ પૈસા માટે કરશે.
સ્મિતા આગળ કહે છે કે: “તાજેતરમાં એક આર્ટ ફિલ્મમાં ડિલિવરી સીન માટે ડાયરેક્ટરે મને મારા પગ બતાવવાનું કહ્યું હતું. મેં 'ના' પાડી. તેની કોઈ જરૂર નહોતી. મારા ચહેરાના હાવભાવ સીન માટે પૂરતા હતા અને બીજી ઘણી બધી ફિલ્મો છે જે મેં આને કારણે નકારી કાઢી છે. પરંતુ આ સમસ્યા એટલી સરળ નથી. માત્ર એટલા માટે કે હું આ પ્રકારની ફિલ્મો નથી લઈ રહી. હું બીજા લોકો પાસેથી અપેક્ષા ન રાખું કે તે આમ નહીં કરે. એટલે બીજું કોઈ લઈ લે છે. જેને પગ બતાવવા માટે દસ લાખ રૂપિયા મળી રહ્યા છે. જો શ્રીદેવી તે સીન ન લે તો બીજું કોઈ લેશે.”
સ્મિતાએ જણાવ્યું હતું કે, “કમનસીબે મેં એક પણ દક્ષિણ ભારતીય ફિલ્મ જોઈ નથી, પરંતુ હું જાણું છું કે તે કઈ રીતે બનેલી હોય છે. આવી ભૂમિકાઓ કરવા માટે આ અભિનેત્રીઓ પાસે પોતાના કારણો હોઈ શકે છે, મને તે ખબર નથી. પણ આવી કેટલી ફિલ્મો ચાલશે? તે ટકશે નહીં. તેમ છતાં, હું સમજું છું કે તેઓ જે નુકસાન કરવાનું છે તે કરે જ છે. પરંતુ શું હું આ અભિનેત્રીઓને કહી શકું કે, 'મહેરબાની કરીને તમારા દસ લાખ ભૂલી જાઓ અને વધુ સારી ફિલ્મ માટે કામ કરો. તેમની પાસે શ્રેષ્ઠ ઓળખવાની ક્ષમતા છે, જે મટીરિયલ છે. જેઓ પોતે ઇન્ડસ્ટ્રીના સેક્સ-સિમ્બોલ હોવા વિશે ખૂબ જ સારું અનુભવે છે. મને તેમના પર દયા આવે છે.”
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર